Showing posts with label India be aware. Show all posts
Showing posts with label India be aware. Show all posts

May 02, 2013

વિદ્યાર્થીઓની કાંધે “વિદ્યા”ની અર્થી....



વિદ્યાર્થીઓની કાંધે “વિદ્યા”ની અર્થી....


વિદ્યાર્થી પક્ષે પરીક્ષા પૂરી થાય અને શિક્ષકોની પરીક્ષા શરૂ થઇ જાય છે.
  Ø કોઈકે તૈયાર કરેલા પ્રશ્નોપત્રોમાં મારા વિદ્યાર્થીઓ શું સમજ્યા છે તે ચકાસવું? 
કે પછી..
 Ø મેં આપેલા અધ્યયન અનુભવો બરાબર હતા કે સુધારાની જરૂર છે તે ચકાસવું ?
                         એવી અવઢવ વચ્ચે જ પરિણામપત્રક બની જાય છે – અને વિદ્યાર્થીને લેબલ લાગી જાય છે. ખરેખર તો આપણે નિદાન કરવાની ક્રિયાને ઉપચાર સમજી બેઠા છીએ.એક પરિસ્થિતિને આધારે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ.                તમે ડોકટર પાસે જાઓ છો. તે તમારી સાથે વાતચીત કરે છે. સ્ટેથોસ્કોપ અને થર્મોમીટર વગેરે વડે તમારા શરીરને ચકાસે છે. બ્લડ ટેસ્ટ કરાવે છે....પછી તમને કહે છે, “જુઓ તમને ડેન્ગ્યું થયો છે, જે ગંભીર છે.” અને પછી કોઈ દવા સૂચવ્યા વગર કહે છે, “ચાલો, ત્યારે આવજો !!” શું આવું બને છે ? કોઈ ડોકટર તમને તમારી બીમારી માત્રનું નામ કહી તમને આવજો કહી દે તો તમે શું કરો ?
                             આપણે આપણી પરીક્ષાઓ વડે કૈક આવું જ કરી રહ્યા છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે પ્રાથમિક શાળામાં લીધેલી કસોટી એ વિદ્યાર્થીની સિદ્ધિ ચકાસવાની કસોટી નથી. આપણે કયો વિદ્યાર્થી સારો -કયો નબળો - એ ચકાસવાનું કામ નથી કરવાનું ! આપણા માટે તો વિદ્યાર્થીએ આપેલ આ  ટેસ્ટ એ નિદાનના તારણ સુધી પહોચાવાનું સાધન છે. હવે, જયારે સમજાય કે ક્યા વિદ્યાર્થીને કયા પ્રકારની મુશ્કેલી છે – પછી તેમને તે મુશ્કેલીનું લેબલ ચિપકાવી બીજા પાસે મોકલી દેવા એ એક બાબત છે અને તેની વિગતોને નોધી અને અન્ય શિક્ષકને રીફર (!) કરવા એ બીજી !
                 ઉત્તમ રસ્તો તો એ છે કે જેમ ડોકટર આપણી શારીરિક મુશ્કેલીને અનુરૂપ ઈલાજ કરે છે તેમ આપણે પણ વર્ગની – વિદ્યાર્થીઓની સમસ્યાઓને અનુરૂપ ઈલાજ શોધીએ !નહીતર વિદ્યાર્થીઓને કાંધે જ વિદ્યાની અર્થી ઉઠી જશે !
મુલ્યાંકન પ્રક્રિયા અંગેના તમારા અનુભવો અમારી સાથે વહેચશો તો ગમશે.


August 15, 2012

આઝાદી એટલે ....



ઝાદી એટલે સમાન તક !

૧૫ મી ઓગષ્ટ, ૧૯૪૭ અને ૧૫ મી ઓગષ્ટ, ૨૦૧૨ વચ્ચે તમે કોઈ ફરક મહેસુસ કર્યો ?
    શાળાઓમાં આપણે સતત આપણા વકતવ્યોમાં (કારણ કે તે મોટાભાગે બાળકોના નથી બની શકતા !)  આજના દિવસે આપણને આઝાદી મળી હતી...ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ જેવા કેટલાય લોકોના પ્રયત્નોથી આપણને આઝાદી મળી છે...વગેરે... વગેરે..વગેરે..”  બોલ્યા કરીએ છીએ !
આપણે ક્યારેય વિચાર્યું છે... આજે આઝાદી અને આઝાદદિનનો મતલબ શું છે ?” આપણી આઝાદીને સાડા છ દાયકા થયા. ૧૪મી ઓગષ્ટ,૧૯૪૭ની મધરાતે દેશ આઝાદ થયો એ વખતથી જ આઝાદીનો મતલબ માત્ર અંગ્રેજ શાસનમાંથી મુક્તિ પૂરતો મર્યાદિત નહોતો ! તે સમયના આઝાદી માટેના લડવૈયાઓના મતે આઝાદી એટલે દરેક ભારતીયને વિકસવાની સમાન તક...[ વિચારો કે ગાંધીજીને રેલ્વેની અંદર બેસવા માટેની સમાન તક મળી હોત તો??? અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મેળવવા કરતાંય અંગ્રેજોની ભારતીયોને વિકસવા માટેની સમાન તક ન આપવાની નીતિ સામે ખરેખર તો ચળવળની શરૂઆત થઇ હતી અને તે ચળવળ પછીથી પૂર્ણ સ્વરાજમાં ફેરવાઈ ગઈ હતી....] આપણે આઝાદીનું સપનું જોયું ,સપનું હતું કે દેશ આઝાદ થશે તો આપણું પોતાનું સુશાસન આવશે,દરેકને રોજી-રોટી અને શિક્ષણ મેળવવાની અને વિકસવાની એક સરખી તક મળશે...શું એવું બની શક્યું છે ખરું..???
                               વાત કરીએ જો અમારી શાળાની અને ગામની...ત્યારે શાળા પરિવારને થાય કે આર્થિક વિષમતા એ બાળકોને સમાન તકો પૂરી ન પડવા માટેનું કારણ તો ન જ હોઈ શકે !!! અધધધધ ....ફીથી મળતી વિકસવાની તક અને આર્થિક રીતે પછાત બાળકોને વિકસવાની તકમાં એટલું બધું અંતર ન હોઈ શકે કે બંને આગળ જતાં ધ્રુવોમાં ફેરવાઈ જાય.. અને આવી જ ચર્ચાને અંતે શાળા પરિવારમાં એક નવો  વિચાર જન્મ્યો... અને શાળા પરિવારે સ્વખર્ચે બાળકોને એક સંગીત/ડાન્સ શિક્ષકની તક પૂરી પાડી... તક મળે તો શું ન કરે બસ આજ મુદ્રામાં અમારા બાળકોએ એવું કરી બતાવ્યું કે કાર્યક્રમની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી તેમના વાલીઓની આંખોમાં નવાઈ અને હાથમાં તાળીઓ છવાયેલી જ રહી....આવો આપ પણ સામેલ થાઓ..અને નિહાળો..અમારો ........ધ્વજવંદન સમારોહ...........

ગીત-: शिव शंकर को जिसने पूजा.........





ગીત-: जादू.....जादू...








ગીત-: ટરરરર....ટરરર...ઢમ....ઢમ....ઢમ..કરો રમકડાં કૂચકદમ








ગીત-: I love my india……




    ગીત-: देश हमारा सबसे न्यारा....प्यारा हिन्दुस्तान..











ગીત-: जलवा...तेरा....जलवा...तौबा...मेरी...तौबा...





ગીત-: चक दे चक इंडिया.......








 ગ્રામજનો સાથે વાર્તાલાપ....










भामाता की जय.........

September 01, 2011

પડોશીધર્મ...થી..રાષ્ટ્રધર્મ....સુધી

भारतमाता की जय..................

   देश हमारा....
            सब से न्यारा..
प्यारा हिन्दुस्तान..  .    

આઝાદીના ૬૪ વર્ષ...રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી......દેશ પ્રત્યેનો અહોભાવ દર્શાવવા માટેનો અને આપણી સ્વતંત્રતા માટે કમર કસનારા તેમજ દેશપ્રેમમાં તન-મન –ધન ન્યોછાવર કરી આપણને એક સ્વતંત્ર ભારતની ભૂમિ અર્પણ કરવા બદલ આપણા સ્વાતંત્ર-સેનાનીઓનો આભાર માની તેમના જીવન-ચરિત્રમાંથી દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા મેળવવાનો દિવસ એટલે જ
 “આઝાદ દિન”
આપણી ખૂબ અને ખૂબ જ સારી બાબત એ છે કે આપણો રાષ્ટ્રધર્મ[રાષ્ટ્રપ્રેમ] બહુ જ સમૃદ્ધ છે,,,,,
ક્રિકેટ હોય કે કારગિલ.................
   ભૂકંપ હોય કે ભ્રષ્ટાચાર...................
   .  લોકપાલ.... હોય કે  જનલોકપાલ...........
         આવી તમામ બાબતો કે જ્યાં આપણા રાષ્ટ્રને ફાયદો થતો  હોય ત્યાં સમર્થનમાં અને આપણા રાષ્ટ્રને નુકશાનની ભીતી હોય ત્યાં વિરોધ માટે આપણા સૌનો સૂર એક હોય છે, આપણે સૌ તેના માટે હાથમાં હાથ  મિલાવીને એક સાથે પ્રયત્નશીલ બનીએ છીએ........તેનું એક જ કારણ છે કે આપણા શિક્ષણમાં બાળપણથી રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભક્તિ વગેરે નામે “રાષ્ટ્રધર્મ” ના ગુણનો વિકાસ માટે બહુ જ ભાર મુકવામાં આવ્યો છે. પરિણામે જ આપણામાં અખૂટ  રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભક્તિ- રાષ્ટ્રધર્મનો સ્ત્રોત પ્રગટ્યો છે.....પરંતુ જયારે વાત કારગિલની છોડી કોમની આવે ત્યારે.......ત્યારે રાષ્ટ્રના સમર્થનમાં સાથે-સાથે ઉભા રહેનાર આપણે કોમની વાત થતા જ કેટલીક વાર સામ-સામે આવી જઈએ છીએ અને  જે હાથમાં-હાથ મિલાવી રાષ્ટ્રનું સમર્થન કર્યું હતું તે  જ હાથ એકબીજાને મારવા તલપાપડ બને છે...અને .તે જ હાથ રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન કરવા માટે ઉઠે છે...અને આપણો રાષ્ટ્રધર્મ તે સમયે ખોખલો સાબિત થાય છે......વાત જયારે કારગિલની  છોડી ઘર આગળ પડેલા કચરાની આવે.........ત્યારે...........ત્યારે પણ દરરોજ સાથે બેસનારા સામસામે આવી જાય છે,વર્ષોની મિત્રતા પળમાં તૂટી પળનો મતભેદ જાણે વર્ષોની દુશ્મની હોય તેવો ભાસ કરાવે છે..અને ત્યારે પણ રાષ્ટ્રધર્મ...માનવધર્મ...વગેરે હવામાં છૂમંતર થઇ જાય છે...
                             પ્રમાણિક અને મજબૂત નાગરિકતા એક ત્રીપાઈ જેવી છે.. .રાષ્ટ્રધર્મ..... માનવધર્મ...... અને પડોશીધર્મ..... આ   ત્રણ પાયાઓ જ્યાં સુધી મજબૂત નહિ હોય ત્યાં સુધી આપણે અડગ અને સાચા દેશપ્રેમી નાગરિક નહિ બની શકીશુ..કેમ કે ત્રણમાંથી એક પણ પાયો નબળો હોય તેવી ત્રીપાઈ પર આપણે ઉભા રહીએ તો આપણે કેટલા હાલક-ડોલક થઈએ છીએ તે જાણ્યા પછી આપણા રાષ્ટ્રનો વિચાર કરશો તો કદાચ આપણને સાચી હકીકત સમજ પડશે......
આપણે આ ત્રીપાઈના ત્રણ પાયાને સમાન મજબૂત કરવા માટેનો પ્રયત્ન પ્રાથમિક કક્ષાએથી જ શરૂ કરી દેવો પડશે, આપણે જેટલો બાળ-માનસમાં રાષ્ટ્રભક્તિની ભાવના પેદા કરવાનો પ્રયત્ન કરીએ છીએ તેટલો પ્રયત્ન આપણે “માનવધર્મ” અને “પડોશીધર્મ” માટે નથી કરતા અથવા તો તેટલો ભાર-પૂર્વક નથી કરતા, પરિણામે બાળક દેશ પ્રત્યેની પોતાની ફરજો સમજે છે પણ વાત જયારે પણ પોતાની સાથે ભણતા બાળકો પ્રત્યેની પોતાની ફરજો ...પોતાની બાજુમાં રહેતા  પડોશી પ્રત્યેની પોતાની શું ફરજો છે......વગેરેથી અજાણ બાળક જયારે નાગરિક બને છે ત્યારે ફક્ત અને ફક્ત રાષ્ટ્રધર્મ બજાવી પોતાને સાચો નાગરિક હોવાનો સંતોષ માને છે.....અને જ્યાં રાષ્ટ્રથી નીચેની જયારે વાત આવે છે ત્યારે પોતે ફક્ત પોતાની બાજુ જ જૂએ છે અથવા તો પોતાને હોંશિયામાં મૂકી દે છે..
આપણે આપણા રાષ્ટ્રને જો વિકાસશીલ અને મજબૂત રાષ્ટ્ર બનાવવું હશે તો તે માટે આપણે રાષ્ટ્રધર્મની જેમ  પડોશીધર્મ...  માનવધર્મ....પ્રત્યે પણ પોતાની ફરજ વિશે પૂરેપૂરી જાગૃતતા ધરાવતા નાગરિકો પેદા કરવા પડશે, અને તે માટે પ્રાથમિક કક્ષાએથી જ આપણે બાળકમાં જેટલો રાષ્ટ્રધર્મ ઉપર ભાર મૂકીએ છીએ તેટલો જ ભાર “પડોશીધર્મ” અને “માનવધર્મ” ઉપર પણ મુકવો જ પડશે........
આવો...આ વિશે વિચારતા-વિચારતા અમારી શાળામાં ઉજવેલ સ્વતંત્રતા-દિન ની ઉજવણીની ઝાંખી કરીએ.............
દેશભક્તિ ગીત વડે ગ્રામજનોનું અભિવાદન કરતાં બાળકો 
બાળકોને દેશભક્તિ ગીતનું ગાન કરાવતી હાઇસ્કૂલ ની બાળાઓ 
.............મોં મીઠું કરતા ગ્રામજનો............
.......મોં મીઠું કરતા હાઇસ્કૂલના બાળકો..................
............મોં મીઠું કરતા બાળકો .........................
..........................મીઠાઈ લેતા બાળકો..................
 અમારી શાળાના ૧૫મી ઓગષ્ટના "આજના દિપકો "

"દિપકો" એટલા માટે કે મજાની વાત એ છે કે ઉપરોક્ત અમારી દીકરી મનીષા નાયકની સાથે-સાથે તેને અભિનંદન કાર્ડ આપનાર અમારા આ શિક્ષકમિત્ર ચંદુભાઈનો પણ જન્મદિન પણ ૧૫મી ઓગષ્ટ જ છે...

August 01, 2011

Traffic Sense !!

l

l

l 

ટ્રાફિક સેન્સ.....


અત્યારે આપણા દેશમાં ઘરની બહાર નીકળતાં જ દરેકને સૌથી પહેલી ચિંતા થાય છે ટ્રાફિકની.દરેક માણસ આજે ટ્રાફિક વ્યવસ્થાપનથી પરેશાન જોવા મળશે. કારણ કે તેને ખ્યાલ છે કે પોતે ગમે તેટલો સાવચેત હોવા છતાં પોતે જાહેરમાર્ગો પર સુરક્ષિત નથી..અને તે માટેના ઘણા કારણોમાંનું એક છે... નાગરિકોમાં ટ્રાફિક સેન્સનો અને બાળકોમાં ટ્રાફિક નિયમો અંગે ખાસ માર્ગદર્શનનો અભાવ..
         ૧૮ વર્ષની ઉંમર એટલે મતદાન કરી શકવાના હક મેળવવાની સાથે-સાથે જાહેર રસ્તાઓ પર વ્હીકલ્સ ચલાવવા માટેની મંજૂરી મેળવવા માટેની ઉંમર પણ ગણાય છે, પણ સામાન્ય આપણા દેશમાં જોઈએ તો બાળકો સરેરાશ ૧૪ વર્ષ કે તેથી ઘણી નાની ઉંમરમાં પણ સાયકલ કે મોપેડ જેવું વાહન ચલાવતા થઇ જાય છે, આવા સમયે બાળકોને ટ્રાફિક સેન્સ માટેનું કોઈ પણ જાતનું ખાસ માર્ગદર્શન મળેલ હોતું નથી,પરિણામે આવા બાળકો અજાણતા જ વાહન હંકારવામાં ટ્રાફિક અંગેના નિયમો તોડતા રહે છે અને પોતે તથા પોતાની  સામે અને સાથે-સાથે  નિયમાનુસાર વ્હીકલ ચલાવાનારનું પણ જીવ જોખમાય તેવી પરિસ્થિતિ ઉભી કરી દે છે, બાળક અજાણતા જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે,પણ જયારે આ જ બાળક ૧૮ વર્ષની ઉંમર સુધીમાં તો તેની આ અજાણતા કરેલી ભૂલોનું પુનરાવર્તન થઇ-થઇને ટેવમાં પરિણમી ચુકી હોય છે, માટે જ બાળકોને પ્રાથમિક કક્ષાએથી જ ટ્રાફિક સેન્સ અંગેનું વધારાનું માર્ગદર્શન મળે તે માટેનો હેતુ સહ ટ્રાફિક સેન્સ નામની એક થીમ BALA અંતર્ગત શાળામાં ઉભી કરી,જેમાં શાળામાં આવન-જાવન માટેના મુખ્ય રસ્તા પર ટ્રાફિક સેન્સને લગતી સંજ્ઞાઓનો સમાવેશ કર્યો જેને બાળક જોઈ શકે...એકબીજાને બતાવે અને જયારે બાળકનામાં વધારે જાણવાની ઉત્સુકતા જાગે ત્યારે દરેક પાઠ્યપુસ્તકોમાં મુખપૃષ્ઠના અંદરના પાને આપેલ સંજ્ઞાની વિસ્તૃત ચર્ચા કરી બાળકોને માહિતગાર કરી શકીએ.........
માઈલ-સ્ટોન્સ..










વાહનવ્યહવાર અંગેની સંજ્ઞાઓ /સંકેતો...
















 રેલ્વે-ફાટકનો આભાસ ઉભો કરવાનો એક પ્રયત્ન 

હજુ વધારે સારૂ કેવી રીતે કરી શકાય અને કેવો લાગ્યો અમારો આ પ્રયત્ન કોમેન્ટમાં ચોક્કસ લખો..