December 31, 2014

“પ્રજ્ઞા શિક્ષણ” અને “વર્ગ આયોજન” !

“પ્રજ્ઞા શિક્ષણ” અને “વર્ગ આયોજન” !
 
           
અત્યારે મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા શિક્ષણ અમલી બન્યું છે. બાળક પોતાની ગતિથી શીખે તે આનો મુખ્ય ઉદેશ્ય રહ્યો છે.પ્રજ્ઞા પહેલાની સ્થિતિમાં એવું પણ ક્યારેક બનતું કે કેટલાંક બાળક વર્ગખંડમાં આપણી સાથે અને સામે દેખાતાં પણ વર્ગકાર્યમાં તેઓ કદાચ પાછલા અને ક્યારેક તો ઘણા પાછળના સ્ટેશને છુટી જતાં અને સામૂહિકતાની મર્યાદાઓને કારણે બાળકોની સાચી પરિસ્થિતિનો ખ્યાલ ત્યારે આવતો જ્યારે આપણે બે-ત્રણ સ્ટેશન [એકમ]ના અંતે બાળકોની ગણતરી [કસોટી] કરતાં. પરિણામ એ આવતું કે આવા પરિણામોમાં બાળક અને શિક્ષક બંનેમાં હતાશા ઉભી થતી. હવે જયારે આપણે પ્રજ્ઞા શિક્ષક તરીકે પ્રજ્ઞા વર્ગનું આયોજન સાંભળવાનું થાય છે ત્યારે હવે આપણે વર્ગખંડના એવા ડ્રાયવર [માર્ગદર્શક]નો રોલ નિભાવવાનો થાય છે કે જે દરેક મુસાફરની ગતિને જાણે છે, દરેક મુસાફરની બેઠક અનુકુલન મુજબના પર્યાવરણને સમજે છે. કયા મુસાફર [બાળક] માટે કયા પ્રકારની સીટ [પધ્ધતિ] અને સ્પીડ [શીખવવાની ગતિ ] રાખવી પડશે તેનો સમૂળગો અભ્યાસુ હોય. પ્રજ્ઞા શિક્ષક તરીકેની સૌથી વધુ અને ચિંતિતિ ફરિયાદ એ હતી કે કોઈ વાર્તા એટલી વાર કહેવી અથવા તો કોઈ કવિતા એટલી વાર ગાવી પડશે કે વર્ગમાં જેટલાં બાળકો હોય ?- ત્યારે કદાચ એવો પ્રશ્ન પણ થાય કે આપણે કોઈ બાળકને એકવાર એક વાર્તા કહીએ અથવા તો કવિતા ગવડાવીએ ત્યારે તે બાળક આપણા કરતાં પણ વધુ અને બાળકો સારી રીતે સમજી જાય તેવી સરળ ભાષામાં કહી અથવા તો ગાઈ શકે અને આવા બાળકોનો ઉપયોગ આપણે આપણે વિવેક સૂઝ મુજબ કરી શકીએ છીએ. કોઈ એક વસ્તુનું કોઈ રેકોર્ડીંગ કરી તેની Mp3 અને કદાચ હાવભાવની અથવા તો વિઝ્યુઅલસની જ્યાં ખાસ જરૂર હોય તેવામાં વિડીયો બનાવી આપ બાળકોને જે તે કાર્ડ સમયે બતાવી અથવા તો સંભળાવી શકો છો. ટેકનોલોજીનો સુચારુ ઉપયોગ આપનું કામ સરળ અને ઓછું કરી દેશે, જેનાથી બચેલ સમયનો ઉપયોગ આપણે આપણા વર્ગના ઓછી ઝડપ વાળા બાળકો પાછળ ખર્ચી શકીશું. વર્ગકાર્ય આયોજનનું ગણિત પણ એ જ છે કે શૈક્ષણિક કાર્યમાં આપણે જેટલાં પ્રમાણમાં બાળકો અને ટેકનોલોજીને જોડી શકીશું તેટલો આપણે આપણો કાર્યભાર ઘટાડી શકીશું. અને આપણી બચતી તે મહેનતને આપણે ધીમી ગતિએ મુસાફરી કરતાં બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપી આખા વર્ગખંડની ગતિ વધારો કરી શકીશું. ટેકનોલોજી અને વ્યક્તિગત શિક્ષણ પર તમારા અભિપ્રાય અને સૂચનો સંભાળવા અમને ગમશે !

December 28, 2014

પ્રકૃતિ-સંસ્કૃતિ-પ્રવાસ


પ્રકૃતિ અને સંસ્કૃતિ ઓળખની પ્રવૃત્તિ – પ્રવાસ
 શૈક્ષણિક પ્રવાસ એ પ્રકૃતિ અને સંસ્કૃતિની ઓળખ કરાવતી પ્રવૃત્તિ છે !
                      આ વર્ષે પ્રવાસ ક્યાં જઈશું ? ના સવાલ સામે ઘણા વિકલ્પો બાળકોએ આપ્યા એમાં – કરમસદ, આણંદ અમુલ ડેરી, અમદાવાદ અને ગાંધીનગર તથા વડોદરા – પાવાગઢ મુખ્ય હતા. શિક્ષકે બધાના મંતવ્યો લીધા અને પાવાગઢ-વડોદરાનું સ્થળ નક્કી કર્યું. પ્રવાસ સમિતિને તે માટેની તૈયારી કરવાનું સૂચવ્યું..અને એક વહેલી સવારે અમે ઉપડ્યા અમારા એ નાનકડા વર્ગખંડને છોડી-એક મોટા વર્ગખંડમાં !
          પહેલો પડાવ- પાવાગઢ પાસેનું “વિરાસત વન” અવનવી વનસ્પતિઓ,તેના ઉપયોગોની મહિત દર્શાવતા બોર્ડ અને સુંદર બગીચો. વન મધ્યે આવેલી સીમેંટમાંથી બનેલી પણ લાકડાની જ જણાતી છત્રી બધાના આકર્ષણનું કેન્દ્ર બની. ત્યાં જ પાવાગઢમાં જોવાલાયક સ્થળોની માહિતી આપેલ હતી એટલે બાળકોએ એ પાવાગઢમાં પગ મુકતા પહેલા પાવાગઢને જાણ્યું- ત્યાંની પ્રખ્યાત ઈમારતો, તેનો વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ, તળાવો વિગેરેની વિગતો ત્યારથી જ નોધપોથીનો હિસ્સો થવા લાગી. બધાને યાદગાર રહ્યું ત્યાં થતું પ્રી- વેડિંગનું વિડીયો શુટિંગ !
“હે સાહેબ ! પેલા પિચ્ચર ઉતારે છે ?” > “ખબર નહિ ! પૂછી આવો !” અને તેઓ પૂછી આવ્યા પણ આ પ્રી- વેડિંગમાં એમને કઈ ખબર ના પડી તો ત્યાંથી પાવાગઢ સુધી લગ્ન-પહેલાના એ વિડીયો શુટિંગની ચર્ચા ચાલી.
                                  પાવાગઢમાં અમારું પહેલું સ્થળ હતું – જામી મસ્જીદ; ગણ્યા ગણાય નહિ એટલા સ્તંભ, અદભુત કોતરણી, કેટલાકે તો હાથ ફેરવી ખાતરી કરી કે પથ્થરમાંથી જ કોતર્યું છે ? “સાહેબ આટલું બધું શાનાથી કોતરતા હશે ? કોણ કોતરતું હશે ? ના જવાબમાં આઈ.કે.વીજળીવાળાનો શિલ્પી વાળો પ્રસંગ યાદ કરાવ્યો. ઘુમ્મટ જોઇને તો બધાને પહેલી નવી એ કે “આ આવડા મોટા પથરા શાનાથી ઉચક્યા હશે ? જુના પાવાગઢ વચ્ચેથી પગપાળા પ્રવાસ કર્યો – તેનો કિલ્લો જોતા જોતા! અત્યાર સુધી તેમના માટે કિલ્લો એ શાળાના કોટ જેવો ભાસ્યો હતો ! હવે તેમને સમજાયું કે કિલ્લા પર ઘોડા કેવી રીતે દોડતા હશે ! આંખો પછી પેટનો વારો હતો – વડોદરા નજીક આવેલ નિજાનંદ આશ્રમે ખરેખર આનંદ આવે તેવું ભોજન કરાવ્યું- વળતી કોઈ અપેક્ષા રાખ્યા વગર ! જમ્યા પછી ત્યાંના ભીંત સુત્રો પર કેટલાકની પેન ચાલી તો સોનલ જેવી ચિબાવલી છોકરીઓએ ત્યાં આશ્રમમાં રહેતી છોકરીઓ સાથે દોસ્તી કરી વાતોના વડા કર્યા.પેટપૂજા પછી વડોદરાના કમાટીબાગમાં પક્ષીઓ જોતા જોતા બાળકોના ઉદગારો સાંભળીને થયું કે કુદરતથી સૌ કોઈ અભિભૂત થઇ જ જાય ! અવનવા રંગોથી રંગાયેલા અને વિવિધ અવાજોથી ગુંજતા એ પાંજરાઓને પસાર કરી – જંગલમાં રાજા થઇ ઘૂમતા અહી પાંજરામાં આકળ વિકળ થઇ આંટા મારતો વનરાજ અને હવે બહાર નહિ જ નીકળાય એ સમજી ગયેલો વાઘ - તો કદાવર રીંછ જોયા ! પ્રાણીઓની એ દુનિયામાં બે બિલાડી ને વાંદરાની વાર્તાની મૂર્તિ મળી તો નાના ટાબરિયાઓને તો ત્યાં વધુ મજા પડી. પ્રાણીઓની દુનિયામાંથી અમારો પ્રવેશ થયો ઇતિહાસમાં – એ મ્યુઝીયમમાં મુકેલી મોટી બંદુકો,તલવારો, બખ્તર, ઢાલ (અલ્યા આ તો સાચુકલી છે !) સાથે બીજા કેટલાક શસ્ત્રો અને ગાયકવાડ રાજ્ય સમયના સિક્કા, પોષાક પણ જોયા. ચીન, જાપાન અને ઈજીપ્તની સંસ્કૃતિની ઓળખ કરાવતી ચીજ વસ્તુઓ – 
...અને ઈજીપ્તના પીરામીડનું એક મમી પણ ખરું ! ૧૮૯૪ ની સાલમાં શિકાર થયેલો વાઘનું શરીર હજુ એવું જ સચવાયું છે – તે બતાવ્યા પછી હજુય કેટલાકને તે પુતળું હોવાનો વહેમ છે ! ત્યાંજ કેટલાય ખનીજો, પુરાતનકાળના મળી આવેલા પદાર્થો જોઈ તેની ચર્ચાને અલ્પવિરામ મુક્યું છે – ખબર છે હવે જેટલી વાર ઈતિહાસ ખુલશે તેટલીવાર એ વાતો આવવાની જ ! ૭૧ ફૂટ લાંબા વ્હેલના હાડપિંજરને જોઈએ ને બધાની આંખો પહોળી થઇ ગઈ ! વ્હેલ વિશેની વાતોનું વાવાઝોડું માંડ શમ્યું છે – ક્યાંકથી એના વિશેની ચોપડી લાવવી પડશે ! અમારો છેલ્લો પડાવ હતો ઈ.એમ.ઈ. ટેમ્પલ, વડોદરા – એનો સમગ્ર વહીવટ ઇન્ડિયન આર્મી કરે છે ! બાળકોનું પહેલું થ્રીલીંગ તો સાચુકલા સૈનિકો જોવાનું – અને બીજું જુદા જુદા વિસ્તારોમાંથી લવાયેલી છેક ૭ મી સદી થી ૧૦ મી સદી સુધીની મૂર્તિઓ ! કોઈ તેની વિગતો વાંચીને તો કોઈ તેને પગે લાગી લાગી આગળ ચાલ્યું ! ચક્રનો છેલો આંટો ફરી પાવાગઢમાં “હોટલમાં’ રાત્રી ભોજન લઇ વહેલું આવજે નવાનદીસર ! (બાળકોને મન તો એ પણ મોટો વૈભવ હતો – “અમે તો હોટલમાં જમ્યા’તા !) મધરાતે ગામ કલબલતું કરી અમે સૌ છુટા પડ્યા બીજે દિવસે પેન-પેપર લઇ મંડી પડવા !પ્રવાસ પછી શું એની વિગતે વાત જયારે આખું ડોક્યુમેન્ટ બની જશે પછી કરીશું – અત્યારે તો આ ફોટોગ્રાફ્સ જુઓ અને મારી આવો એક ચક્કર અમે જ્યાં જ્યાં ફર્યા હતા એ સ્થળોનું ! 
પ્રવાસન સ્થળની મુલાકાત માટે બસમાંથી ઉતરતાં બાળકો..
પાવાગઢની ગોદમાં આવેલ જયપુરા ગામે નિર્માણ પામેલ "વિરાસત વન" ની મુલાકાતે..
વિરાસત વન
વિરાસત વન




વિરાસત વન
વિરાસત વન
વિરાસત વન
વિરાસત વન
વિરાસત વન
વિરાસત વન
ઔષધીઓથી રૂબરૂ થતા બાળકો....
જામી મસ્જિદ ની મુલાકાત લેતાં બાળકો...
જામી મસ્જિદ, પાવાગઢ
જામી મસ્જિદ, પાવાગઢ

પ્રાચીન કિલ્લાની દિવાલના બંધારણનું નિદર્શન કરતાં બાળકો...
જામી મસ્જિદ, પાવાગઢ
જામી મસ્જિદ, પાવાગઢ



બાળકોની સવારના ભોજનની વ્યવસ્થા કરનાર નિજાનંદ આશ્રમ અને  સંચાલક શ્રીજયંતીકાકા..








કમાટીબાગ , વડોદરા...
પ્રાણી સંગ્રહાલય....
પ્રાણી સંગ્રહાલય....

પ્રાણી સંગ્રહાલય....
પ્રાણી સંગ્રહાલય....
પ્રાણી સંગ્રહાલય....



બે બિલાડી અને વાંદરો - વાર્તાના જાણે સાક્ષી બન્યા હોય તેવા ભાવ સાથે...
પ્રાણી સંગ્રહાલય....
પ્રાણી સંગ્રહાલય....

મ્યુઝિયમ , વડોદરા 


  

જોય ટ્રેન સફારીનો આનંદ લેતાં બાળકો....





ચાલો, બસની અંદર પણ એક ડોકિયું કરી લઈએ...



   

સાંજનું ભોજન...