February 13, 2011

આપણા બાળકો અને વાંચન!


ગુણોત્સવના પરિણામોની સમીક્ષામાં સૌથી મોટો જો કોઈ પ્રશ્ન રાજ્યની સામે આવ્યો તો તે છે બાળકોની નબળી વાંચન ક્ષમતા!  આ કોઈ શાળા કે વિસ્તારની નહિ પણ દરેક જગ્યાએથી મળેલી સરેરાશ ઉણપ છે. અહી આ વિષય સાથે કેટલીક વાતો મુકવાનો પ્રયત્ન છે.
Ø  વાંચન શું છે? છાપેલા કે લખેલા શબ્દો માત્ર?
ટ્રાફિક સિગ્નલને સમજવો- બીજાના ચહેરાના ભાવનું વાંચન- ગ્રાફ, ચાર્ટ, નકશાઓ વગેરને જોઈને સમજવું તો તે વાંચન ખરું કે નહિ? તમને થશે કે હા! વાંચન જેવું તો ખરું!
        જુઓ, તમારા મનમાં એક વિચાર છે, તમારે તેણે બીજા સુધી પહોચાડવાનો છે. શું કરશો? વિચાર સીધો તો તેના તે જ સ્વરૂપમાં કોઈના મગજમાં જઈ શકશે નહિ.  વિચારો તેના માટે તમે શું શું કરો છો?
કોઈ વ્યક્તિના અવાજને રેકોર્ડ કરવો એટલે –  Encoding       એ રેકોર્ડેડ અવાજ આપણે સાંભળીએ તે  – Decoding   
આવું જ થાય છે વાંચનમાં (?) કોઈકના શબ્દો  જે સંકેતોમાં ઢળેલા છે તેને Decoding કરી સાંભળવાના  હોય છે.
Ø  મુદ્દો એ પણ છે કે આપણે કોને વાંચન ઘણીએ છીએ?
A.      કોઈ એક સંકેત છે તેનો ચોક્કસ એક ઉચ્ચાર છે તે ઓળખવું તેને?
B.      કેટલાક સંકેતોના સમૂહને એકબીજાના આધારે સમજીને તેનો અર્થ સમજવાને?
આપણે મોટાભાગનો સમય ઉપરોક્ત A ને આપી દઈએ છીએ જે ઓછી જરૂરી બાબત છે.
સંકેતોમાંથી શબ્દોનું Decoding એ વાંચન નથી. આપણામાંથી બધા વિવિધ પ્રકારના ફોર્મ/વીમા પોલીસી/બેંક સંબંધી દસ્તાવેજ વગેરેનું Decoding કરી શકે છે પણ તેનું વાંચન (ખરા અર્થમાં!) કરવા કોઈકની મદદ પણ લે છે.
Ø  હવે પ્રશ્ન છે તો સંકેત અને ઉચ્ચારનું શું?
તે માટે પ્રથમ તો બાળકને ભરપુર મૌખિક કાર્યની જરૂર છે. તે પુષ્કળ સાંભળી-સમજી શકે અને કોઈ એક સ્થિતિ, ચિત્ર, અનુભવો વિષે બોલી શકે. તેના માતા-પિતા, શિક્ષક, ભાઈ-બહેન વગેરે કોઈ પુસ્તક મોટેથી વાંચે જેમાં મોટો ભાગ ચિત્રોથી ઘેરાયેલો હોય. હવે તે જ પુસ્તક તેને આપી દેવાય-જેથી તે ચિત્રોમાંથી પોતે સાંભળેલી વાતોને શોધવાનો પ્રયત્ન કરે. પછી તે સમજશે કે જે હું આ મૌખિક રીતે બોલું/સાંભળું છું, તેનું આ સાંકેતિક સ્વરૂપ(ચિત્રો) છે. આ વાતને સમયાંતરે શબ્દો વિશે લાગુ પાડી શકાય!
        બીજી એક બાબત એ છે કે બાળકને જે સાહિત્યની મદદથી આપણે વાંચન શીખવવાનો પ્રયાસ કરીએ છીએ તે રસપ્રદ/રોમાંચક/ઉપયોગી કે બાળકને પોતાનું લાગે તેવું છે?? જો ના તો એવી સામગ્રીથી વાંચન શીખવા તરફ કોઈને કેવી રીતે પ્રેરી શકાય?   વિચારો હવે આપણે આપણા પ્રિય બાળકો સાથે ઉપચારાત્મક કાર્યમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું અને કઈ એવી પ્રવૃતિઓ છે જે તેમને મદદ કરી શકે?
તમારા વિચારો ગુજરાતના ભવિષ્ય માટે આવકાર્ય અને અનિવાર્ય છે. જરૂરથી અમને લખો વાંચન વિષે તમારા અભિપ્રાયો: nvndsr1975@gmail.com પર.
સાભાર શ્રી સુબીર શુક્લના બ્લોગ Education Matters http://subirshukla.blogspot.com  ના આધારે!

February 01, 2011

Re-public day!


નથી કોઈ પરવા દહન કે દફનની,નથી કોઈ પરવા કબર કે કફનની,
નથી કોઈ પરવા બદનના જતનની,મને પરવા છે ફક્ત મારા વ્હાલા વતનની.....


ભારત માતા કી જય..................!!!
મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું અંગ્રજોના હાથે જીવતો પકડાઈશ નહિ."- ચંદ્રશેખર આઝાદ

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ..દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલમે હૈ?.
-રામપ્રસાદ બિસ્મિલ
બહેરી અંગ્રેજ સરકારના  કાન ખોલવા મેં ધારાસભામાં ધડાકો કર્યો  હતો. -"શહીદ ભગતસિંહ '
અંગ્રેજી સત્તા ઉખેડી નાખવાની મને ધૂન લાગી હતી...... "શ્યામજી કૃષ્ણવર્મા  
નાનપણથી જ હું ક્રાંતિકારી વિચારો ધરાવતો હતો.... "વીર સાવરકર "
 અંગ્રેજોની સરકારી નોકરીને મેં લાત મારી હતી.....-વાસુદેવ બળવંત ફડકે 
મેં મિત્રો સાથે રહી "બોંબ"બનાવવાની છૂપી પ્રવૃત્તિ શરૂ કરી.. - "સુખદેવ" 
મને ક્રાંતિકારીઓ "દુર્ગાભાભી" કહેતા..

પ્રોત્સાહન-મહેરા પરષોત્તમભાઈ 
પ્રોત્સાહન-પરમાર વિક્રમભાઈ 




                          







"પ્રજાસત્તાકદિન" નિમિત્તે મોં મીઠું કરતા બાળકો 
 M બાળકો પણ આ જ રીતે એક દિવસ આપણી સામે “ક્રાંતિ” કરે તો નવાઈ નહિ ????   
 ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭નો દિવસ આપણા દેશ માટે ખુશ-ખુશાલીનો હતો,તેવી જ ખુશ-ખુશાલી અન્ય દિવસ હતો ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦નો. કેમકે તે દિવસે અંગ્રેજોની આખરી નિશાની જેવા તેમના કાયદા-કાનૂન ફગાવી આપણું બંધારણ અમલમાં આવ્યું, એટલે કે પૂરેપૂરી સત્તા આપણી. આપણું શાસન-પ્રજાની સત્તા-એટલે જ પ્રજાસત્તાકદિન”. આવા રાષ્ટ્રની ખુશીના દિવસે અમને પણ એક વિચાર આવ્યો છે કે નિયમો-શિસ્ત અને વિવેક વગેરેના નામે આપણી શાળાઓમાં પણ કેટલીક વાર આપણે પણ બાળકો પર અંગ્રજો વારી કરી બેસીએ છીએ, ત્યારે બાળકોને પણ શાળા ગુલામી સમયના ભારત જેવી જ લાગતી હશે ને? વિચારો કે બાળકોને જો આપણી શાળાઓ અને આપણા વર્ગખંડો શૈક્ષણિક જેલ જેવા લાગશે તે દિવસે તેઓનું રૂપ ઉપરના ફોટોગ્રાફ્સમાં દેખતા બાળકો જેવું અને  કદાચ વિરોધ કરવાની રીત પણ તેવી જ હશે, ત્યારે ભગવાન જાણે આપણને કોણ બચાવશે
શું આપણે બાળસત્તાક શાળા ઓનું નિર્માણ ન કરી શકીએ?
કેવી હોવી જોઈએ આ શાળા
કેવું હોઈ શકે આ શાળાનું બંધારણ ?.....વિચારો અને  અમને મોકલો  *
પ્રજાસત્તાકદિનની સાચી ઉજણવી ત્યારે જ કહેવાશે જ્યારે આપણે બધા આપણા બંધારણે આપણને આપેલા હકો પ્રત્યે જાગૃત હોઈશું અને પોતાની ફરજો નિભાવવા તત્પર હોઈશું  !!!! 

"child is curious by nature"

M      બાળકોની આતુરતા [ જિજ્ઞાસાવૃત્તિ ] નો કોઈ જ અંત નથી !
 બાળક જિજ્ઞાસાવૃત્તિનું અક્ષયપાત્ર હોય છે,બાળકોને જાણવાની આતુરતા હોય છે, શીખવાની નહિ ! હવે તમને થશે કે “શીખવું’ અને “જાણવું “ આમ તો સરખું જ છે ને ? નહી, નહી ભાઈ, પ્રાથમિક શિક્ષણમાં બહુ જ મોટો તફાવત હોય છે આ બે શબ્દો વચ્ચે ! જેમ કે બાળક પહેલા એકડાને જાણે છે પછી શીખે છે, કોઈ પણ વિષય-વસ્તુમાં ‘જાણવાની’ પ્રક્રિયા વિના ‘શીખવાની’ પ્રક્રિયાની થવી એ તો અશક્ય બાબત છે. જેમ કે આપણે કોઈ મશીન કે ગાડી અન્ય કોઈ નવી વસ્તુ શીખવી હોય ત્યારે સૌ પ્રથમ તે અંગેની જાણકારી મેળવવાની પ્રક્રિયા કરીએ છીએ અને તે મશીન હોય તો તેનું રિપેરિંગની અને ગાડી હોય તો ચલાવતા શીખવાની પ્રક્રિયા કરીએ છીએ.આપણે આપણી શિક્ષણ-પદ્ધતિમાં જો થોડો  ફેરફાર કરીએ તો બાળકોની જિજ્ઞાસાવૃત્તિમાં વધારો પણ કરી શકીશું અને એકદમ...હા..હા..એકદમ સરળમાં-સરળ રીતે ઘણા એકમ પણ શીખવી શકીશું. બાળકોને પ્રશ્નોની જરૂર છે-જવાબોની નહી, શૈક્ષણિક કાર્ય દરમ્યાન બાળકોની કક્ષા અને એકમને ધ્યાને રાખી તમે એવા શૈક્ષણિક પ્રશ્નો ઉભા કરો કે બાળકોને તેના જવાબ [શોધવાની]જાણવાની આતુરતા સાથે ઘરે જાય. તમારે બાળકોને જે એકમ શીખવવાનો હોય તે એકમને ધ્યાને રાખી એટલા બધા પ્રશ્નો સમયાંતરે  ઉભા કરો અને સાથે-સાથે તેના જવાબ મળી શકે તે માટેનું જરૂરી પર્યાવરણ પણ પરોક્ષરીતે પુરૂ પાડો ! કોઈ બાળક જો તે પ્રશ્નનો સાચો જવાબ આપે તો પૂર્ણવિરામ ન મુકતાં પુનઃવિચાર કરવો પડે તેવો બીજો પ્રશ્ન ઊભો કરો.જ્યારે આપણે આનાથી ઉલટું કરી બાળકોને વિચરવાની તક, વિચારીને જવાબ મેળવવાનો પ્રયત્ન/સમય અને તે સમય દરમિયાન તેને મળતા નવા અનુભવો/જવાબો વગેરેથી વંચિત રાખી બાળકની તર્ક શક્તિને ધોરણ ૩-૪થી અટકાવીએ છીએ અને પછી ઉપલા ધોરણમાં તે જ બાળકને ગણિતના કોયડા ઉકેલવા માટે તર્ક કરવા દબાણ કરીએ છીએ.[તમને જો નાનપણથી જ તમારી મમ્મીએ પોતે કોળીયો ચાવી-ચાવીને પછી તમારા મોઢામાં મુક્યો હોત તો તમે ચાવતા નહિ પણ ફક્ત ગળતા જ શીખ્યા હોત !!! ] બાળકો કોઈ પ્રશ્નને ચાવતા-ચાવતા એટલે કે કોઈ એકમ પર મથામણ કરતા-કરતા ઘરે જાય તેવી શિક્ષણ પદ્ધતિની વાત કરી રહ્યો છું, એટલે કે બાળકો શીખીને નહી પણ તે એકમના પૂર્વ/પૂરક પ્રશ્નો સાથેની મુંઝવણ અને તે બાબતની જાણકારી મેળવવા ઘરે પ્રયત્ન કરે તેવી બાળકમાંની જિજ્ઞાસાવૃત્તિનો ઉપયોગ કરો.[અને કોઈ કારણસર કોઈ બાળકમાં અપવાદરૂપ “જિજ્ઞાસાવૃત્તિ”નો અભાવ જણાય તો વિકસાવવાનો પ્રયત્ન કરો] જેમ કે ધોરણ ૩ના બાળકોને જયારે પદાર્થના ગુણધર્મો વિશેની સમજ આપવાની થઈ ત્યારે અમારા શાળા-પરિવારમાં સૌથી વધારે પ્રશ્નો [શૈક્ષણિક જ !] ઉભા કરવાની ટેવવાળા વર્ગશિક્ષકશ્રીએ બાળકોને પહેલો પ્રશ્ન એ કર્યો કે બોલો “ તમારા વાળ અને આ અરીસા વચ્ચે શું સમાનતા છે ? “, ઘણા જ વિચારોના વમળો પછી પાસે મુકેલ અરીસા  અને પોતાના વાળને વારંવાર અડક્યા  પછી એક બાળકે જયારે કહ્યું કે “ મારા વાળ ઉપર હાથ ફેરવું અને અરીસા પર હાથ ફેરવું, સરખું જ [લીસું] લાગે છે “ પણ બાળકે જયારે આ જવાબ આપ્યો હોય ત્યાં સુધીમાં તો તેના મગજમાંથી એટલા વિચારો ઘુમવા લાગે છે કે પછી તેના માટે એકમ નાનો બની જાય છે. એક વાત ચોક્કસ યાદ રાખજો કે કોઈ પણ પ્રશ્ન નો કદાચ બાળકોને જવાબ નહી મળે, પણ જવાબ શોધતાં-શોધતાં કઈંક નવું જાણવા તો ચોક્કસ મળશે જ .      
 અમારી શાળાએ બાળકોને ‘પદાર્થના ગુણધર્મો “ એકમ માટે નીચે પ્રમાણેનું આયોજન કરી પ્રયત્ન કર્યો.
J સૌ પ્રથમ બાળકોને બે-બેના ગૃપમાં વહેંચી દો.
 J ત્યારબાદ દરેક ગૃપમાં એક બાળકને “લીસી સપાટીવાળા પદાર્થ” અને બીજા બાળકને “ખરબચડી સપાટીવાળા પદાર્થ” એવા હેડીંગ સાથેના કાગળ આપો.
 J ત્યારબાદ બાળકોને ક્હો કે શાળાની અંદરની ૨૦ વસ્તુઓનો સ્પર્શ કરી તમારો અનુભવ આ કાગળમાં લખો.
 J જો કોઈ પદાર્થની સપાટી ઉપર હાથ ફેરવતાં  સપાટી લીસી લાગે તો  “લીસી સપાટીવાળા પદાર્થ” વાળા કાગળમાં અને જો પદાર્થની સપાટી ઉપર હાથ ફેરવતાં  સપાટી ખરબચડી લાગે તો  “ખરબચડી સપાટીવાળા પદાર્થ” વાળા કાગળમાં તે વસ્તુનું નામ લખો.
  દરેક ગ્રુપને તમે જાતે ઉભા રહી વ્યક્તિગત એક-એક નમુના રૂપ સ્પર્શાનુંભવ કરાવો.          

            ત્યારબાદ બાળકોને છૂટા મૂકી દો, હા,પણ પરોક્ષ્રરીતે ધ્યાન રાખજો કારણ કે આ તો હોય છે ચંચળ ! વચ્ચે-વચ્ચે બે ત્રણ ગૃપ ભેગા મળી ચર્ચા કરતાં નજરે પડશે, જો તે ચર્ચા એકમ વિશેની હોય તો ઠીક,પણ જો એકમ બહારની તો વાત પાછી એકમ પર લઈ જાઓ.
            આટલું બધું સમજાવ્યા પછી પણ બાળકો ઘણી ભૂલો કરશે, જેમ કે કાગળમાં વસ્તુનું નામ લખી લાવવાની જગ્યાએ “ખરબચડી” કે “લીસી” એમ જ લખી લાવશે. બાળકોની આવી ભૂલો સુધારવા સારૂ કામ કરનાર ગૃપના બાળકોને માર્ગદર્શક બનાવી ફરીથી પ્રોજેક્ટ કરવાનું ક્હો.
જો બાળકોએ કરેલી ભુલો જોઈ તમે તેને ઠપકો કરવાની ભૂલ ન કરતા !
[ કારણ કે કામ કરતા માણસથી જ ભૂલ થવાની શક્યતા હોય છે,અને દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જે જાણી જોઈને ભૂલ કરે,તેમજ જે  કામ અજાણતાથી (ભૂલથી) થઇ જાય તેને જ “ભૂલ” કહેવાય.] 

પછી આવા એકમો માટે તમારે કોઈ હોમવર્ક આપવાની જરૂર નહી રહે, બીજા દિવસે બાળક જાતે જ કહેશે
“રોટલી ખરબચડી હતી અને ગ્લાસ લીસ્સો, ઓશીકું ખરબચડું હતું અને પલંગની પાઈપ લીસી “ 


Project conducted by: મહેન્દ્રભાઈ પટેલ, વ.શિ. ધોરણ-૩