January 07, 2011

સાંસ્કૃતિક કાર્યક્રમ....

આવો,રાષ્ટ્રીયપર્વની ઉજવણીમાં અભ્યાસક્રમમાંના એકમોનો  પણ "સાંસ્કૃતિક કાર્યક્રમ" બનાવીએ .
                 આપણા.... ચંદ્રશેખર આઝાદ                      
E અમારા ચંદ્રશેખર આઝાદF

શું આ બાળક "ચંદ્રશેખર આઝાદ" ને જિંદગીભર ભૂલી શકશે??
E આપણા   !!!!!    અમારા        F   
     શ્યામજી કૃષ્ણવર્મા 
www.krantiteerth.org/about-shyamji-krishna-varma 






    સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ.
 
Í રામપ્રસાદ બિસ્મિલ     Î 
É અમારી દીકરી પરમાર મીના "સુખદેવ"ના પાત્રમાં        Ê 



Þઅમારી દીકરી સુધા.......એટલે કે આપણા દુર્ગાભાભી.Þ 
"દિલ સે નિકલેગી ન મર કર ભી વતન કી ઉલફત [પ્રિત],મેરી મિટ્ટી સે ભી ખુશ્બૂ -એ-વતન આએંગી."
બાળકોના અભિનય માટેના માર્ગદર્શન માટે "ભગતસિંહ' ના એકપાત્ર અભિનયમાં હું પોતે... 

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીનો આપણી શાળાઓને સૌથી મોટો લાભ એ છે કે કદાચ આખું વર્ષ ગામના બાળકો અને ગામની શાળા આપણા ભરોશે છોડેલ આપણા ગ્રામજનો તે દિવસે તો આપણી મુલાકાત ચોક્કસ લે છે, તમે તમારી શાળાની રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીનો ભૂતકાળ પૂછજો, સાથે-સાથે ભૂતકાળમાં ઉજવણી સમયે શાળામાં આવતા ગ્રામજનોની સંખ્યા પૂછજો.[અત્યારે આવતા ગ્રામજનો કરતાં ઘણી વધારે હશે, તમારી શાળા વિશે જો ઉપરોક્ત અંદાજમાં હું  ખોટો હોઉ તો તમને સારી કામગીરી બદલ “અભિનંદન” અને આગળનું લખાણ તમારે વાંચવાની કે વિચારવાની જરૂર મને નથી લાગતી] ગ્રામજનોનું  આવું થવાના ઘણા કારણમાનું એક કારણ છે આજે રાષ્ટ્રીયપર્વની ઉજવણી સમયે આપણી કેટલીક શાળામાંથી આછાં  અને કેટલીક શાળાઓમાં અદ્રશ્ય થઇ રહેલા  સાંસ્કૃતિક કાર્યક્રમો”. આવા કાર્યક્રમો આછાં કે અદ્રશ્ય થવાનું કારણ કદાચ આ હોઈ શકે છે.....કે  જ્યારે પણ શાળામાં કોઈ ઉત્સાહી શિક્ષક ધ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાની વાત છેડાય કે તરત જ તેના થોડી જ વાર પહેલાનાં મિત્રોમાંના નિરૂત્સાહી મિત્રો વાતાવરણને છાવણીમાં તબદીલ કરી દે છે,અને વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે,જ્યારે અતિઉત્સાહી મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની તૈયારીના સમયને વ્યય અને અભ્યાસક્રમના સમય-પત્રકની નુકશાનીની વાત આગળ ધરે છે. પણ જો અભ્યાસક્રમ જ સાંસ્કૃતિક કાર્યક્રમ બની જાય તો ! એટલે કે અભ્યાસક્રમના જ કોઈ એકમને સાંસ્કૃતિક કાર્યક્રમ બનાવી રજૂ કરીએ તો ! આપણા મતે સાંસ્કૃતિક કાર્યક્રમનું મહત્વ ઓછાવત્તી હોઈ શકે છે,પણ બાળકોને મન તેનો ઉમંગ અનેરો અને  રોલ ભજવતા પોતાના બાળકને  રંગમંચ પર જોવાના તેના માતાપિતાનો ઉત્સાહ-એ તો વાત જ ન પૂછો.

કેમ કે હું તમને જો પૂછું કે
 શું તમારો પોતાનો બાળક તેની શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોઈ રોલ-પ્લે કરી રહ્યો હોય તો તેને જોવાનો તમને ઉત્સાહ હોય??? તો તમારા જવાબની શરૂઆતનું વાક્ય આ જ હોય કે
           અરે! તમે મૂર્ખા તો નથી ને ????                                  
®
એકપાત્ર અભિનય – ધોરણ-૭- આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ
 સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં આપેલ “ચંદ્રશેખર આઝાદ’ વિશેની વિગતનો અમે સ્ક્રિપ્ટ તરીકે ઉપયોગ કર્યો છે, જેમ કે “હું છું ચંદ્રશેખર આઝાદ, મારો જન્મ...........”
આ જ રીતે આ એકમમાંના અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનો એકપાત્ર અભિનયનો કાર્યક્રમ તૈયાર કરાવી શકાય છે/કરાવી રહ્યા છીએ..
[તમે તમારી શાળામાં આવો પ્રયત્ન ચોક્કસ કરજો, મુંજવણ સમયે અમને યાદ કરજો, અમે બાળકોના આનંદ અને શિક્ષણ માટે દિવસના ૨૪કલાક અને વર્ષના ૩૬૫દિવસ હાજર છીએ]  

6 comments:

પ્રદિપસિંહ ઝાલા said...

are bhai tamari dare post ni hu rah joi ne j betho hoi 6...kaink navu j male 6..ane mari drasti pan badalay 6...aabhar..

चिराग: Chirag Patel said...

અભિનંદન. તમારો પ્રયાસ સાચે જ સ્તુત્ય છે.

Yogesh patel said...

અભિનંદન.આપ સારી પ્રગતિ કરો તેવા આશિષ.

Unknown said...

અભિનંદન. તમારો પ્રયાસ સાચે જ સ્તુત્ય છે.
આપ સારી પ્રગતિ કરો તેવા આશિષ.

Subir Shukla said...

Great stuff! Congrats to the children, teachers and the principal - look forward to more of this.

DARSHAN D.PARMAR said...

eduction guru ni bhumika bhajavi rahya cho