Showing posts with label ગુજરાતી. Show all posts
Showing posts with label ગુજરાતી. Show all posts

February 21, 2025

ભાષા ખૂટે ત્યારે.. !

ભાષા ખૂટે ત્યારે.. !

વિશ્વ ભાષાદિવસના આગળના જ દિવસે ભાષાનો અનુભવ કરાવતી ઘટના ઘટી.

બન્યું એવું કે ધોરણ પાંચમાં  કોમન એન્ટરેન્સ ટેસ્ટની તૈયારીઓ ચાલતી હતી. તે અંતર્ગત તાર્કિક પ્રશ્નોનો મહાવરો કરાવતાં શિક્ષકે એક પ્રશ્ન ઇન્ટરએક્ટિવ ફ્લેટ પેનલ પર બતાવી કહ્યું કે તર્ક લગાવો કે આનો જવાબ તેની નીચેના વિકલ્પો પૈકી કયો હશે ? ટાઈમ સ્ટાર્ટ..

ટાઈમ અપ થતાં શિક્ષકે બધાંને પોતપોતાના જવાબ પૂછ્યા. જવાબ પૂછવાની રીત કઈક આવી હતી - A વાળા કેટલાં ? B વાળા.. C વાળા  D .. !     તાર્કિક રીતે વિકલ્પ પસંદ કરેલ બાળકો પૈકી એક દીકરી [ નામ જાણીજોઈને નથી લખ્યું ] ને કહ્યું “કહે તો વિકલ્પ કેમ પસંદ કર્યો ?” બે ત્રણ વાર પૂછવા છતાં કોઈ જવાબ નહીં, એવું પણ નહોતું કે કોઈને પૂછીને તેણે કહ્યું હશે ! - કારણ કે શિક્ષક સૌ બાળકોને ખૂબ સારી રીતે જાણે/સમજે છે. તે મુજબ આ દીકરીનો જવાબ પોતાના તર્કો આધારિત હશે જ તેની ખાતરી હતી. એટલે જ બીજી વાર પ્રશ્ન થોડો બદલીને  પૂછ્યો - “ વિકલ્પ કેવી રીતે આવે? - તે કહેને !  બીજી વારમાં પણ જવાબ ન મળતાં શિક્ષકનો ટોન ઊંચો થયો અને કહેવાતી સરળ ભાષા મુજબનો જવાબ કઢાવી શકાય તેવા પ્રયત્નમાં પૂછ્યું - તેં જવાબ શોધવા કેવી રીતે વિચાર્યું હતું તે કહે  ! છતાં પણ જવાબના બદલામાં ફક્ત શિક્ષકના ચહેરા સામે ટગર ટગર નજર અને તે પણ પ્રત્યુત્તર વિનાની - વધુ એક ઊંચા ટોન સાથેના જવાબ કઢાવવાના પ્રયત્નમાં   ટપ .. ટપ.. ટપ.. વાળો  જવાબ મળ્યો.. 

ઘણીવાર કેટલાય વર્ગખંડોમાં બનતી ઘટનાઓ પૈકીની આ ઘટના છે ! પરંતુ તેના પરના ચિંતનને આધારે આપણે સમજી શકીએ છીએ કે આપણામાં ભાષા હોવી એટલે શું ? અને તે કેટલી મહત્ત્વની છે ! અહીંયાં શિક્ષકના પક્ષે થયેલા વર્તનને જો દીકરીના પક્ષ તરફથી જોઈએ તો સમજાશે કે દીકરી પાસેથી જવાબ મેળવવા માટેના પ્રયત્ન કરવા માટેની જરૂરી ભાષાના શબ્દો ખૂટતા જતા હતા તેમ તેમ શિક્ષકનો ટોન ઊંચે જતો હતો ! દીકરીના રડવાનું  કારણ પણ  એમાનું એક હોઈ શકે છે. પોતે જ કરેલ તર્કને તે વર્ણવવાની પ્રક્રિયા માટે શબ્દો ન મળવાનું રીએકશન તરીકે તેનાં રડવાની એકશન સરખાવી શકાય.

ભાષાની અસમૃદ્ધિ હોય ત્યારે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. એટલે જ તો બાળકના જન્મથી ભાષા ઈનપુટ ન થઈ જાય ત્યાં  સુધીના સમયમાં ભૂખ લાગે કે ભીનું થાય -  મમ્મીને જાણ કરવા માટે રડવાનું જ થતું. હા, ધીમેધીમે ભાષા મળતી ગઈ તેમ તેમ એક્શન બદલાતી ગઈ. આજે પણ જ્યારે જ્યારે લાગણીઓ વ્યક્ત કરવા ભાષા ખૂટે છે ત્યારે ત્યારે રીએક્શન રૂપે એ જ એક્શન  દેખાય છે. એટલે જ તો સમજાવવા માટેની શિક્ષકની ભાષા ખૂટતાં ટોન ઊંચો થવા લાગ્યો અને પોતાના તર્કોને વર્ણવી સમજાવી ન શકનાર દીકરી રડવા લાગી.

વિચારો કે દુનિયામાંથી વ્યક્ત થવાની એકશન એવી માતૃભાષા જ ન હોય તો શું થાય !  કોણ કોને સમજે અને કોણ કોને સમજાવે !  આવી માતા સમાન માતૃભાષાનું મહત્ત્વ ગાઈને - બોલીને - સાંભળીને - સંભળાવી ને ન ઊજવીએ તો જ નવાઈ ! ચાલો, ફોટો પર ક્લિક કરો અને કેટલાક વીડિયો વડે માણો બાળકોના માતૃભાષાના સન્માનરૂપી વ્યક્ત કરેલ એ આનંદને !












February 21, 2024

માણસનો સૌથી મોટો જાદુ!

માણસનો સૌથી મોટો જાદુ!

        ભાષા મનુષ્ય વડે કરાયેલું સૌથી મોટું જાદુ છે. એના વડે મનુષ્યો સામૂહિક પ્રત્યાયનને એક નવી જ ક્ષિતિજ તરફ ખેંચી ગયા છે. જે જગતમાં છે જ નહિ તે બાબતોને તે એકબીજાના મગજમાં ભાષા વડે ઉત્પન્ન કરી શકે છેસામૂહિક કલ્પનાઓ કરી શકે છે. આવી સામૂહિક કલ્પનાઓને આધારે પોતાના અને અન્યોના જીવનમાં અવનવાં વિશ્વ ઉમેરી શકે છે.

માણસે જ્યારે પહેલી વખત પૈસો-સિક્કો કે કોઈ ધાતુના ટુકડાનો વિનિમય પ્રથામાં ઉપયોગ કર્યો હશે તેમાં અને આજે આર્થિક વ્યવહારોની જે સ્થિતિ છે તે બદલાવ ભાષાને કારણે છે. ભાષા વડે આપણે સૌએ આ પૈસાનું (આ પ્રકારના કાગળનું) મૂલ્ય સિદ્ધ કર્યું છેકુદરતી રીતે જે સાવ નકામું છે એને પણ આપણે સૌ ભાષાના ઉપયોગ વડે અત્યંત પ્રભાવશાળી બનાવી શકીએ  છીએ. એક મોટા સૈન્યના લાખો સૈનિકો કરતાં તેનો વડો વધુ શક્તિશાળી છે; કારણ કે આપણે ભાષાના ઉપયોગથી સામૂહિક કલ્પના કરી છે કે આ પ્રકારના હોદ્દા પર હોય તેના હુકમોનું પાલન કરવાનું છે, અને એ સામૂહિક કલ્પના ટકી રહે છે તે પણ ભાષાના જોરે.

આવી આપણી ભાષા માત્ર આવા કાર્યોમાં જ નહિ, આપણા અને જગત વિશેના ખ્યાલો રચવામાં પણ માધ્યમ બને છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020નો આ એક ફકરો જોઈએ.

    ભાષાઓ જ્ઞાનાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક અનુભવના કેન્દ્રમાં છે. ભાષા અનેક સાદાં અને જટિલ કાર્યો કરે છે. તે વ્યક્તિઓને તેમના સ્વ અને વિશ્વને સમજવાની, વિશ્લેષણ કરવાની અને જોડાઈને જીવવાની ક્ષમતા આપે છે. તે જ્ઞાનસંપાદન તેમજ ઉત્પાદનમાં મધ્યસ્થી કરે છે. ભાષા અસરકારક સંદેશાવ્યવહારને સક્ષમ બનાવે છેજે સમાજ, સંસ્કૃતિ અને ઓળખની રચના અને કામગીરીનું અભિન્ન અંગ છે. આમ, ભાષાને લગતા મુદ્દા શિક્ષણના મૂળભૂત મુદ્દા છે અને ભાષા શીખવાની અસરો ભાષાના પરિઘની પણ બહાર છે. એનસીએફ (ફાઉન્ડેશનલથી સેકન્ડરી સુધીના તમામ તબક્કાઓમાં) ભાષા શીખવાને અત્યંત મહત્ત્વ આપે છે. તે એનઇપી-2020ના બહુભાષાવાદ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે માર્ગદર્શન આપે છે.     [એનઇપી-2020, 4.11-4.22]

અહીંયાં બે વાક્યો બરાબર ધ્યાનથી જોઈએ : પહેલુંભાષા માત્ર અન્યો સાથે પ્રત્યાયન કરવા જ નહિ, પણ પોતાના વિશેના અને જગત વિશેના ખ્યાલો માટે પણ જરૂરી છે. અને બીજું તેબહુભાષાવાદઆપણે છાપામાં છપાતી ભાષાને જ ભાષા ગણીએ તો એવા કેટલાય લોકો છૂટી જશે કે જેઓ તે ભાષામાં પોતાના વિચારો રજૂ કરી શકતા નથી. હા, સામૂહિક પ્રત્યાયનમાં કોઈ એક પ્રકારની સામાન્ય ભાષા હોય તે સગવડભર્યું છે પણ તેના કારણે બીજી કોઈ ભાષા ઊંચી કે નીચી ન જ હોય શકે. આપણું જગત જ બહુભાષીય છે. આપણે ત્યાં તો બાર ગાઉએ બોલી બદલાય જેવી કહેવત પણ છે. ત્યારે સૌ પરસ્પર એકબીજાની ભાષાઓની કદર કરે, એકબીજાની ભાષા શીખવાનો પ્રયત્ન કરે તેવા પ્રયત્ન જરૂરી બને છે.

આ માતૃભાષા દિવસે આવો જ એક પ્રયાસ થયો.

સવારની પ્રથમ સભામાં સૌએ પોતપોતાની ભાષામાં નાની નાની રજૂઆત કરી. દરેકના ચહેરા પર રજૂઆત પછી જાણે પોતાની માના પાલવને અડકીને આવ્યા હોય તેવો આનંદ વર્તાતો હતો.

બીજા સત્રમાં જુદા જુદા જૂથમાં બેસીને ભાષાના પ્રાયોગિક ઉપયોગો કરવાનું શીખ્યા. જેમ કે, આપણે એક વાતને જુદી જુદી રીતે કહેવી હોય તો શું કરીએ?; વાર્તા એવી કે જેમાં વાર્તા સાંભળનાર પણ એક પાત્ર હોય; કવિતા લખવાની હોય તો કયો મસાલો ભેગો કરવો પડે?; આપણા લોકગીત, લગ્નગીત, ભજનો અને કહેવતો, તો વળી હાલમાં ભૂંસાતા જતાં પણ હજુ વાપરવા સક્ષમ હોય તેવા શબ્દોની યાદીઅને બીજુંય ઘણું.

છેલ્લા સત્રમાં આજના દિવસે ક્યારે ક્યારે મજા પડી? ફરી આ પ્રકારે ઉજવણી કરીએ તો ત્યારે શું ધ્યાનમાં રાખીશું ? આજના દિવસ પછી ભાષા વિશેના તમારા ખ્યાલોમાં શું બદલાવ આવ્યો? – જેવા પ્રશ્નો વિશે રિફ્લેક્શન કર્યું. સઘળો આનંદ જોઈએ આ ફોટોઝ પર ક્લિક કરીને વીડિયોમાં








February 21, 2023

માતૃભાષા - આપણા જ્ઞાનની સંજીવની

માતૃભાષા - આપણા જ્ઞાનની સંજીવની

માતૃભાષા વ્યક્તિની ઓળખ, જ્ઞાનાત્મક વિકાસ, સંદેશાવ્યવહાર અને સમાજીકરણનું મહત્ત્વનું પાસું છે. વ્યક્તિગત હિતો અને સમાજના હિત બંને માટે માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવું મહત્ત્વપૂર્ણ છે. સંશોધનો દર્શાવે છે કે જે વ્યક્તિઓ તેમની માતૃભાષામાં નિપુણ છે તેઓને જ્ઞાનાત્મક પાસામાં ફાયદા હોય છે :  જેમ કે, સારી યાદશક્તિ, પેટર્ન ઓળખવાની, સમજવાની અને પેટર્ન આગળ વધારવાની શક્તિ, વિવેચનાત્મક ચિંતન કરવાની શક્તિ અને સર્જનાત્મકતા તો ખરી . જોવા મળવાનુ કારણ છે કે આવી વ્યક્તિઓમાં માતૃભાષા તેમના સાંસ્કૃતિક અને સામાજિક અનુભવોમાં ઊંડે સુધી વણાયેલી છે, અને તેઓ ભાષાની વધુ સાહજિક સમજ ધરાવે છે. તેઓએ જન્મ લેતાંની સાથે જે જ્ઞાન અર્જન કરવાનુ શરૂ કર્યું તે તેમની માતૃભાષામાં સંગ્રહિત  થવા લાગ્યું હોય છે અને તે જ્ઞાનના પાયા પર તેઓ બીજા જ્ઞાન સાથે સરળતાથી જોડાઈ જતા હોય છે. આપણી પરંપરામાં કદાચ એટલે માતાના પેટમાંથી શીખવાનું શરૂ થાય એવી વિભાવના છે.

અકબર બીરબલના નામે પ્રચલિત પેલી વ્યક્તિની માતૃભાષા ઓળખી કાઢવાની વાર્તા તો યાદ હશે જયાં  વ્યક્તિ પોતાની ત્વરિત લાગણીઓ વ્યકત કરવા માતૃભાષાનો સહજ (સહસા) ઉપયોગ કરી દે છે. અને તો થાય છે કે માતૃભાષા સિવાયની બીજી ભાષાઓમાં પારંગત થયા પછીય આપણે જ્યારે ભાવમાં ઉચ્ચ સ્થિતિએ તો માતૃભાષામાં વ્યકત થઈ જતાં હોઈએ છીએ. સિવાય એક અગત્યનું પાસું પણ છે કે જ્યારે આપણે  વાતચીત કરવા અને વિચારવા માટે માતૃભાષાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જટિલ વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવામાં વધુ સહજતા અનુભવીએ છીએ. આપણે રોજિંદા જીવનની સામાન્ય બાબતો માટે કોઈપણ ભાષામાં સહજ હોઈ  શકીએ પરંતુ જ્યારે ફિલોસોફીની વાત આવે કે આપણી જીવનરીતિ વિશે વિચારવાની વાત આવે કે આપણે કેવી રીતે વિચારણા કરીએ છીએ વિશે વિચાર કરવાની વાત આવે ત્યારે આપણને માતૃભાષામાં વિચારવુ અને વ્યક્ત થવું સાહજિક લાગે છેકારણ કે આપણે માતૃભાષામાં આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને ધોરણોના સંદર્ભમાં વિચારી શકતા હોઈશુંઅને એટલે આપણા નિર્ણયોમાં પોતીકાપણાનો ભાવ પ્રગટ થઈ જતો હશે.

આપણા નવા વિચારો/ નવા ઉકેલો માટે પણ માતૃભાષા ખૂબ જરૂરી છે કારણ કે આપણે જ્યાં જન્મ્યા છીએ તે જગ્યાની - આપણી  આસપાસના વ્યક્તિઓની સમસ્યાઓ કઈ છે તે સમજવા માટે આપણને માતૃભાષા ઉપયોગી બને છે. આપણા મૂળિયાં માતૃભાષા વડે સિંચાયેલા હોવાથી આપણે તેના આધાર પર તે સમસ્યાઓનો અભિનવ ઉકેલ શોધી શકીએ છીએ. તેમાં આપણો જે સાંસ્કૃતિક વારસો છે તે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપણે જોઈએ છીએ કે જે બાળકો એવા સામાજિક સ્તરમાંથી આવે છે કે જ્યાં ભાષાનો ઉપયોગ ઓછો થાય છે તેઓ નક્કર હોય તેવા ખ્યાલોને વધુ ઝડપથી ઉકેલી શકતા નથી  કે સમસ્યાઓના વૈચારિક ઉપાયો આપી શકતા   નથી. એટલે માતૃભાષાને માત્ર  પ્રત્યાયનનું સાધન ગણવાને બદલે તે આપણા મસ્તિષ્કનો વિકાસ, આપણા સાંસ્કૃતિક વારસાનો આધાર, આપણા સામાજિક અસ્તિત્વનો આધાર તેમજ આપણા જ્ઞાનને પેઢી દર પેઢી આગળ વધારનારી સંજીવની ગણવી જોઈએ.

દર વર્ષની જેમ અગાઉના વર્ષોની ઉજવણી આ જ બ્લોગમાં ઉપર આપેલ 🔍  સર્ચમાં " માતૃભાષા "  લખી જોઈ શકશો વર્ષે શાળાએ કરેલી માતૃભાષા દિવસની ઉજવણીમાં ઉપરના બધા ખ્યાલોને  અમે સૌ  અડકી શકીએ   તેવો પ્રયત્ન કર્યો.

·         ગામમાં ગવાતા લોકગીતો અને ભજનો એકત્ર કરવા.

·         મમ્મી દાદી પાસેથી લગ્ન ગીતો ભેગા કરવા.

·         ચોપડીમાં છાપેલી ભાષા કરતા બોલાતી ભાષામાં કયા શબ્દો જુદા છે તેની યાદી કરવી.

·         શબ્દોનો ઉપયોગ કરી નવી વાર્તાઓ રચવી.

·         માતૃભાષા વિશે તેઓ શું વિચારે છે તે બોલવું અને લખવું.

·         જુદા જુદા વિષય પરની કવિતાઓ આગળ વધારવી.

 આમ ભાષા વિષે  વિચારવું, ભાષામાં જે શ્રેષ્ઠ છે - તે લુપ્ત થઈ જાય તે નોંધી લેવું અને નવું સર્જન કરવું અમારા માતૃભાષા દિવસની ઉજવણીનો સાર છે