April 19, 2018

સ્વ-મૂલ્યાંકન – વ્યક્તિત્વ વિકાસનું માપન



સ્વ-મૂલ્યાંકન – વ્યક્તિત્વ વિકાસનું માપન 
નાગરિક ઘડતર પ્રવૃત્તિ અંતર્ગત શાળામાં દરેક ગૃપના લીડરો તેમના સભ્યોને સાથે મળી સત્રાંતે સ્વ-મૂલ્યાંકન કરી રહ્યા છે  વિગતે ટૂંક સમયમાં ત્યાં સુધી પોસ્ટના અંતમાં આપેલ લીંક જોઈ ગત સત્રમાં બાળકોએ કરેલ મૂલ્યાંકનને સમજો 






  



April 14, 2018

ડો.બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી - નિયમો અને તેના કારણો !



ડો.બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી  - નિયમો અને તેના કારણો !

🙋-:"રજા કહેલી ને ?"
😎 -: "અરે, આજે એક ખાસ વ્યક્તિનો જન્મદિવસ છે"
🙋 -: "આંબેડકરનો એ તો ખબર જ હતી !"
😎 -: "એટલે, એમ કે શાળામાં બધા મળીએ તો ઉજવીએ !"
🙋 -: "પ્રાર્થનાનું સેટિંગ તો અમે પાડી દઈએ, બીજું શું કરીએ ?"
😎 -:"જોઈએ, થોડુક મે વિચાર્યુ છે બાકી તમે કહેશો એમ !"
૧૪ મી એપ્રિલે આ સંવાદો પછી..પ્રાર્થનામાં આંબેડકરને "હેપ્પી બર્થ ડે" વિશ કરાયું. શાળામાં જેનો જન્મ દિવસ હોય તેનો કોઈ મિત્ર એના વિશે બધાને કહે.. હવે, આંબેડકરનો મિત્ર ?
😎-: "કોણ કહેશે આંબેડકર વિશે ?"
એક સાથે અવાજ આવ્યો, "તરૂણ"
અને એ બોલ્યો.. છેલ્લે ગૂંચવાઈ પણ ગયો કે હવે શું કહું ! "સામાન્ય રીતે તો કહેવાય કે એ સારું ભણે, સારું જીવન જીવે એવી શુભેચછાઓ!" એના મો પર ગૂંચવણ હતી અને મલકાટ પણ !
ત્યારબાદ વિગતે સમજાવ્યું કે આંબેડકર, ગાંધી, સરદાર, કલામ આ બધા આપણા માટે પ્રેરણારૂપ છે કારણકે તેઓ જ્યાં જન્મ્યા તે જગતને વળતું કૈક આપીને ગયા !
માત્ર એમને પૂજવાથી કઈ ના વળે, એના માટે આપણે આપણી આજુબાજુ જોતા રહેવું પડે જે તેમણે જોયા કર્યું અને થાય એટલું સુધાર્યા કર્યું..
ચહેરા થોડા મુંઝવાયેલા લાગ્યા તો ભાથીજીનું ઉદાહરણ આપ્યું ! આપણામાંથી કોણ પોતાનું લગ્ન છોડી ગામની ગાયો બચાવવા જાય ? અરે, છોડો પોતાનું નહિ... બીજાનું લગ્ન હોય અને નાચતા નાચતા છૂટી ગયેલી ભેંશ બાંધવા ય ના જાય ..અને એમના મોં પર એ વાતે ચમકેલી પ્રજ્ઞા !
"તો આંબેડકરે ખાસ શું કરેલું ?"
"બંધારણના ઘડતરમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવેલી પણ તમારે જો એમની પાસેથી ખાસ કૈક શીખવાનું હોય તો એક તો વાંચવાનું શીખો, બીજું તાર્કિક રીતે નિયમો બનાવતા !"
અને એ જ વાક્યથી શાળાના નિયમો અને તેના પાછળના કારણો વિશે ચર્ચવા નું નક્કી થયું.. એમને જૂથમાં બેસી ચર્ચા કરી.. પછી આવીને બધા સમક્ષ કહી. અમારા માટે નવાઈ એ વાતની કે અમે ધારેલા એકેય નિયમ એમાં નહોતા.. (જેમ કે પ્રાર્થનામાં આ બાબતો હોવી જોઈએ, અથવા તો નાગરિક ઘડતરમાં કરવાની કામગીરી ના નિયમો) એના બદલે સામાન્ય નિયમો જેવા કે સવારે શાળામાં આવવાનો સમય, છૂટવાનો સમય, દરરોજ બધા પીરીયડ લેવાવા જોઇએ.. વગેરે... ટિપિકલ નિયમો આવ્યા..એના વિશે વિચારતા સમજાયું કે પેલા બીજા નિયમો તો સમયાંતરે એમનામાંથી અથવા એમની મદદથી બન્યા છે જે એમને નિયમ ક્યાંથી લાગે ? શાળાના આ પ્રકારના જે નિયમો ઉપરથી લદાયેલાં છે એમને જ એ બાળકોએ નિયમ તરીકે ગણ્યા !
રજૂઆત ખૂબ રસપ્રદ રહી જેમકે શાળા 5:00 છોડી દેવી જોઈએ તેના કારણમાં તેમણે જણાવ્યું કે જેથી બાળકો ઘરે જઈ શકે અને પોતાને મળેલું ગૃહકાર્ય કરી શકે આવી કેટલીક ચર્ચા બાદ જમ્યા અને કેટલાકનું જમવાનું ચાલુ હતું ત્યાં જ છૂટવા માટે ની સભા મળી ગઈ તો ઍક ગુજરાતી ગીત સંભળાવવાનું નક્કી કર્યું એ પૂરું થયું ત્યાં જ બૂમ આવી કે ભાથીજીની વાત કરી હતી તો કોલર ટાઇટ તો સંભળાવો અને પછી જે થયું એ જ કદાચ આંબેડકર જયંતિનું સાચું સેલિબ્રેશન હતું...









ઉજવણીના અંતની આનંદની પળો ને માણીએ > મારો કોલર ટાઈટ રાખજો



April 07, 2018

મૂલ્યાંનકનનું મૂલ્ય !



મૂલ્યાંનકનનું મૂલ્ય !

Ø  કસોટી લેવી કે ના લેવી ? લેવી તો કેવી રીતે લેવી ?
Ø  કસોટી બાળકોમાં તણાવ પેદા કરે છે કે ઉત્સાહ વધારે છે ?
આવા બધા પ્રશ્નોનું મંથન રહેતું જ હોય છે.
પરંતુ કસોટીમાંથી અમને એક હેતુ બરાબર મળી ગયો છે. "કસોટી અમારું શૈક્ષણિક ઓડિટ છે !"
એમને તો ખબર પડે કે અમે ક્યાં ભૂલો કરી અથવા ક્યાં સારું ના કરી શક્યા ! શિક્ષક તરીકે અમને અમારી ક્ષતિઓ મળી આવે તો આગામી વર્ષમાં એ માટે પ્રયત્ન થાય.
આ વર્ષે ગુણોત્સવમાં શાળામાં સ્વમુલ્યાંકન હતું. ગામની ભાગીદારી હવે તો સંપૂર્ણ હોય છે. આ દિવસે પણ સવારમાં એસ.એમ.સી. ની હજારોમાં પેપર વગરનું કામ પૂરું કરી એમને આખા દિવસની રૂપરેખા સમજાવી કે કયા સમયે કયા કયું કામ થતું હશે ! એ પણ કહ્યું કે જો બાહ્ય મુલ્યાંકન હોત તો આવનાર મહેમાન એમને જે ફ્રેમ કહેત એ મુજબ અમે ગણન અને શ્રુત લેખનનું કામ કરાવતા પણ હવે તમે કહો તેમ... વળી ચર્ચામાં ઉપાય મળ્યો કે એના કરતાં ચિઠ્ઠી બનાવી દઈએ અને કે ક્રમ આવે એ ક્રમની ફ્રેમની કસોટી લઈએ. સહમત જ હોઈએ ને !
        અમારા એસ.એમ.સી. અધ્યક્ષ તો નાના બાળકોને વાંચન પણ કરાવી આવ્યા. બાકીના સભ્યો છ થી આઠની કસોટી વાળા વર્ગોમાં હાજર રહ્યા. ગામના કેટલાક યુવાનો વળી પહેલા ધોરણના ટાબરિયાઓ ને લઇ મેદાનમાં વાર્તા અને વાતો કરાવવામાં પડ્યા.
નજીકની એક શાળામાં મૂલ્યાંકન માટે આવેલા ................... અચાનક શાળામાં આવ્યા. એમણે શાળામાં માત્ર ગુણોત્સવ અંગે જ નહિ અને શાળાની અન્ય નાની નાની વિગતો વિશે પૂછપરછ કરી સરાહના કરી. શાળાનો મિજાજ જોઈ કહે "તમને ખબર છે તમારા સૌની કાર્યશૈલી અને કલ્ચર એ આઇ.આઇ.એમ. અમદાવાદ જેવું છે. જ્યાં ઔપચારિક અને અનૌપચારિક બંને રીતે બાળકો જ્યાં હોય ત્યાંથી શીખે જ છે ! "
ગુણોત્સવ બાદ યોજાયેલ વાર્ષિક લેખિત કસોટીમાં પણ આ જ મિજાજ કંટીન્યું... પરીક્ષા પછી ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને એમની જવાબવહી બતાવીને તેઓ ક્યાં ભૂલ કરી રહ્યા છે એના વિશે પણ ચર્ચા કરી.
તેમના વ્યક્તિત્વ વિકાસના તારવેલા વિધનોના ગુણ તો તેઓ એ જ જાતે પોત પોતાના નાગરિક ઘડતરના જૂથમાં બેસીને નક્કી કર્યા. એમાં તેઓ પોતે જ અરીસા સામે ઉભા હોય છે અને પોતાનું સાચું જ મૂલ્યાંકન કરે છે એ અમે અવલોક્યું !

ટુંકમાં કસોટી એ અમારા માટે ભલે થોડી કામગીરી વધારે પણ બાળકોમાં એનો ભાર ના આવે અને  અમારી ક્ષતિઓ મળી આવે એ જ અમારા મૂલ્યાંકન નું મૂલ્ય !





  
   



  

























ગુણોત્સવના દિવસની પ્રાર્થનાનો LIVE વિડીયો જુઓ > પ્રાર્થના સમારંભ