June 13, 2011

If the School is a Garden, Who are you?

બાળ-પતંગીયાને બોલાવવા માટે શિક્ષક રૂપી માળીએ શું કરવું પડશે??? બગીચા વધુ સંભાળ કે બાળ-પતંગીયાનો વાલી-સંપર્ક???

આપણી શાળાઓનો યક્ષ પ્રશ્ન છે વધુ પડતી બાળકોની અનિયમિતતા અને ગેરહાજરીનો, તે માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે વાલીનો વ્યવસાય, વાલીની નિરક્ષરતા અથવા તો શિક્ષણ પ્રત્યેની અજાગૃતતા,સ્થાનિક પ્રતિકૂળ પરિસ્થિતિ,શાળાનો ગામ/બાળકો સાથેનો વ્યવહાર,આવા તો અનેકો કારણ બાળક અને શાળા વચ્ચેની ગેપ માટે જવાબદાર હોય છે, પરિણામે શિક્ષકમિત્રની  વર્ગખંડમાં કરેલ બેથાક મહેનત છતાં પરિણામ નિરાશાજનક અને આપણા શિક્ષક-મિત્રમાં હતાશા જોવા મળે છે. ગેરહાજર બાળકોને શાળા સુધી લાવવા માટેના પ્રયત્નોમાં જ શાળા/શિક્ષકની મોટાભાગની શક્તિ અને સમયનો બગાડ થાય છે,   તમે એક જૂની કહેવત સાંભળી છે??

સ્ત્રી હઠ – રાજ હઠબાળ હઠ – માન્યા વિના છૂટકો જ નહી.........

શું બાળકો શાળાએ આવવાની હઠ[જીદ] કરે તેવું શાળાનું વાતાવરણ આપણે આપણી શાળામાં ઉભું ના કરી શકીએ?? શું શાળાને એવો મઘમઘતો બગીચો ન બનાવી શકાય કે જ્યાં બાળક રૂપી “પતંગિયા” દોડી-દોડી આવે???

ગયા ચોમાસે શાળા બાગમાં પીળું પતંગિયું !!

 આપણે શાળાનું પર્યાવરણ/વાતાવરણ એવું તો બનાવીએ કે આપણે વાલીસંપર્ક કરવાની જરૂર જ ન રહે, “બાળકોને શાળાએ મોકલવા પડે છે” તેની જગ્યાએ “ઘરે બહુ જ કામ હોય તો પણ બાળકો શાળામાં જતા જ રહે છે” તેવું વાલીઓ બોલતા થાય...તેવું વાતાવરણ શાળાનું બનાવવું 

જ પડશે.

જ્યાં સુધી આપણે શાળાને બાળકોની અરસિક પ્રવૃત્તિઓ,ગુલામીનો અહેસાસ કરાવે તેવા શિસ્તના નિયમો,શિક્ષક અને બાળક વચ્ચેનું અંતર વગેરે કારણો રૂપી ફાફડા-થોરથી શણગારેલ જંગલમાં જો આપણે “બાળ-પતંગિયા”ની હાજરીની આશા રાખતા હો તો આપણાથી મૂર્ખ માણસ કોઈ નથી. વગર વાલી સંપર્કે જો તમે બાળ-પતંગીયાની આશા રાખતા હો તે માટે  તમારે તમારી શાળા રૂપી બગીચાને  રમત-ગમત,બાળ-રસિક પ્રવૃત્તિઓ, શિક્ષક અને બાળકો વચ્ચે લાગણીયુક્ત સંબંધો, સ્વતંત્રતા અને આનંદની મહેક્વાળું વાતાવરણ વગેરે રૂપી ફૂલછોડ ધ્વારા મદમસ્ત બનાવવો પડશે જ !!! કારણ કે બગીચાનું જતન કરી તેને મદમસ્ત બનાવનાર માળીએ કોઈ દિવસ પતંગીયાને બોલાવવા જવા પડતા નથી તે તો [ઉડી-ઉડી]દોડી-દોડી આવે છે.   અરે !! યાર જો એક લીટીમાં કહું તો કોઈ માળી કે જેણે આપણા કરતાં પણ ઓછું શિક્ષણ મેળવ્યું છે તેને પૂછી જો-જો કે “જો પતંગિયાને બગીચામાં બોલાવવા હોય તે શું કરશે??? બગીચાને આનંદમય મદમસ્ત બનાવશે કે પછી પતંગિયાનો વાલી-સંપર્ક કરશે?? અને....


 તમે જ કહોને કે ખરેખર માળીએ પતંગિયાને બોલાવવા શું કરવું પડશે ?? બગીચાને આનંદમય મદમસ્ત કે પછી પતંગિયાનો વાલી-સંપર્ક?? બસ, આપણી પ્રાથમિક શાળાઓમાં પણ આ જ નિયમ લાગુ પડે છે...તમે જ વિચારોને તમને ન ગમતા[આનંદ ન આપતા] સ્થળે જવા માટે ગમે તેટલા લોકો વળગે [વાલી-સંર્પક] તો પણ શું તમે તે સ્થળે જવાનું પસંદ કરશો?? અને માની લો કે કદાચ કોઈના દબાણ વશ થઇ ત્યાં જાવ તો પણ તમારૂ વર્તન અને તમારો મૂડ કેવો હોય??....

June 03, 2011

અને પંખી શિક્ષીત થયું........


વાર્તા છે, રવીન્દ્રનાથ ટાગોરની – અચાનક આ વેકેશન દરમિયાન નવા વર્ષે શું કરીશું તેવા માનસિક આયોજનમાં વચ્ચે ક્યાંક ઈન્ટરનેટ પર  વાંચેલી તે ટપકી. શબ્દશઃ તો નથી યાદ પણ  કૈક આમ હતું!
  



એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, આ પંખીનું શું કરીએ? એક મંત્રી કહે, મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.

રાજાએ પોતાના વિશ્વાસુ ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું!
પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો(!) વિચાર કર્યો અને શિક્ષણ નીતિ ઘડી કાઢી. શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે. અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે તેને શિક્ષણની નવી જ દિશા ખોલી આપી!
સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, શિક્ષણ તો જોરદાર ચાલે છે!તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે ! પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !
એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતા વેત તેમને કહ્યું કે આ એક-બે ચોપડીથી કઈ ના આવડે, વધુ દળદાર પુસ્તકો જોઈએ. રાતો રાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણો પુસ્તકોનો ઢગલો થઇ ગયો! લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા. વાહ! વાહ! શું શિક્ષણ છે ! ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય! તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.
હવે તો સૌ બોલી ઉઠ્યા કે હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.
એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે પંખીનું શિક્ષણ બરાબર નથી થતું ! રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને આ હું શું સાંભળું છું? કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ! ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો અરે! એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે. રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું. રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે વાત ના પૂછો ! કોઈ ગોખાવતું હોય, તો કોઈ ગવડાવતું હોય, તો કોઈ શીખવતું હોય નાચ ! તામ જામ – નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો ! વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો મહારાજ ! પંખીને મળ્યા? રાજા પંડિતજીને કહે અરે હા! એ તો યાદ જ ન આવ્યું. પંખીને જોવાનું તો રહી ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ. રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું. પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.
હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો !  બિચારૂ પંખી જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે જો પાંજરામાં પાંખો ફફડાવે તો કહે, આ ગેરશિસ્ત !  કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે આને એના ભવિષ્યની પડી જ નથી ! બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ! 
અંતે પંખી બિચારું પેટમાં સુકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને  તેનું “પંખીપણું મરી ગયું” ને ભાણેજે જાહેર કર્યું કે પંખી શિક્ષિત થયું!