April 01, 2011

અંધશ્રધ્ધાળુ સમાજ કે વિજ્ઞાન અને ટેકનોલોજી ??


વિજ્ઞાન અને ટેકનોલોજી” વિષયની ઉપેક્ષા એ પરોક્ષ રીતે ભવિષ્યમાં 
વધુ અંધશ્રદ્ધાળુ સમાજ પેદા કરી શકે છે. 


     વિજ્ઞાન અને ટેકનોલોજી  એ પર્યાવરણ વિષયનો ઉત્તરાર્ધ જ છે, આપણી આસપાસના પર્યાવરણમાં બનતી ઘટનાઓના નિયમોને વ્યાખ્યાઓમાં ફેરવી સાબિત કરવા એટલે જ વિજ્ઞાન ટેકનોલોજી. ઉપલા ધોરણોમાં આ વિષયનું એટલું જ મહત્વ છે જેટલું ધોરણ-૧ થી ૪ના અભ્યાસક્રમમાં માતૃભાષાનું મહત્વ છે. આ વિષય ધ્વારા બાળકો રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ/ક્રિયાઓ કેમ અને કેવી રીતે???? તેના કારણો અને નિયમો જાણે છે.

   બાળપણથી જ ગ્લાસ વડે ડોલમાંથી ગ્લાસ વડે પરપોટા રમતો બાળક ધોરણ પાંચના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના અભ્યાસક્રમનો આધાર લઇ સમજે/જાણે છે કે હવા જગ્યા રોકે છે.


નાનપણથી જ પડઘાની મજા માણતો બાળક ધોરણ પાંચમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની સમજ મેળવ્યા બાદ પડઘા માટે જરૂરી પરિસ્થિતિ અને તે માટેના જરૂરી નિયમોને જાણી પડઘો એટલે અવાજનું પરાવર્તન એમ બોલતો થાય છે. 

 ધોરણ-૬ના વિજ્ઞાન અને ટેકનોલોજીના એકમ મૂળ,પ્રકાંડ અને પર્ણના કાર્યોજાણે છે ત્યારે શાળાના બગીચાના છોડને પાણી કેમ મૂળમાં જ પાઈએ છીએ તે સમજે છે,

    
    ધોરણ સાતના વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસક્રમના આધાર લઈ બાળક સમજે છે કે સ્વાદ પારખવા આપણે જીભનો ફક્ત ઉપયોગ જ કરીએ છીએ, સ્વાદ કયો છે તે તો જીભ નહી પણ તેમાં રહેલા સ્વાદચેતા ધ્વારા મગજ જ નક્કી કરે છે.
   
ગણિત અને વિજ્ઞાન અને ટેકનોલોજી આ બે વિષયો એવા છે કે જો બાળકોના પ્રાથમિક શિક્ષણમાં આ બે વિષયની ઉપેક્ષા થાય તો તે બાળકોના આગળના અભ્યાસ દરમ્યાનના અભ્યાસક્રમમાં સંકલન સાધવું કેટલીકવાર મુશ્કેલ અને મોટેભાગે અશક્ય બની જાય છે, એટલે કે તેનું પરિણામ બાળકે આગળના અભ્યાસમાં ભોગવવું પડે છે. [કદાચ વગર વાંકે ] વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય માનવ જીવન માટે ખૂબ જ અગત્યનો છે, આપણી આસપાસ કેટલાક લોકો વિજ્ઞાનના પ્રયોગો ને ચમત્કારો” તરીકે ચીતરી વિજ્ઞાનથી અજાણ સમાજને છેતરવા માટેના વાડોલીયા ઉભા થયેલા નજરે પડે છે.જો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં કાચા પાયાવાળા બાળકોનું સર્જન કરીશું તો તેના બદલામાં આગામી વર્ષોમાં આપણને હજુ વધુ અંધશ્રદ્ધાળુ સમાજ મળશે અને તેનું પરિણામ તો છેલ્લે આપણે અને આપણી પેઠીએ જ ભોગવવું પડશે.


પ્રવૃત્તિ- ભૂચર આહારકડી [ધોરણ-૭,પાન નં.-૧૯૪]


કેટલા રે કેટલા ...........તમે કહો એટલા.....
શિક્ષકશ્રીએ આપેલ સૂચના મુજબ જોડી બનાવતા બાળકો......
અરે યાર હું તો આઉટ થઇ  ગયો..........
અમારી  જોડી બની ગઈ..........
  મારી જોડી બની ગઈ કે નહી??

વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વિશે તમારું શું કહેવું છે? [કોમેન્ટમાં લખો]

પરીક્ષાને તમે કેવી નજરથી જુઓ છો??



પરીક્ષાને તમે કેવી નજરથી જુઓ છો??



     એપ્રિલ માસ એટલે પરીક્ષાનો માહોલ !! જેની તૈયારી માટે તો આપણે અને આપના બાળકો કમર કસવા લાગી ગયા છીએ,પણ ધીમે-ધીમે પ્રાથમિક શાળાના બાળકો માટે એક anty-exAMMM. વાતાવરણ શિક્ષણ જગતમાં છવાતું જાય છે, ઘણા બાળ-માનસ શાસ્ત્રીઓ અને પ્રાથમિક શિક્ષણ શાસ્ત્રીઓ પણ પરીક્ષાને અનિષ્ટ માની ૬ થી ૧૪ વર્ષની કુમળી વય ઉપર પરીક્ષા રૂપી ઘા ન કરવાની તરફેણ કરી રહ્યા છે. મોટાભાગનાનું માનવું છે કે પ્રાથમિક ક્ક્ષાએ પરીક્ષા જેવું કઈ હોવું જ ન જોઈએ.કારણ કે ૩૦ બાળકોના વર્ગખંડની પરીક્ષાના પરિણામમાં પ્રથમ નંબરનો આનંદ અનુભવનાર  એક જયારે હતાશા અનુભવનાર ૨૯ બાળકો હોય છે.છેવટે બાળકો શિક્ષણ પ્રત્યે હતોત્સાહિત બની જાય છે. પણ ક્યારે અમને એમ થાય છે આટલા વર્ષોથી અને તે સમયના શિક્ષણશાસ્ત્રીઓએ પ્રાથમિક શિક્ષણ જગતમાં પરીક્ષા દાખલ કરતા સમયે કંઇક તો વિચાર કર્યો જ હશેને !! કદાચ બની શકે છે કે પરીક્ષા દાખલ કર્યાથી આજદિન સુધીના સમય ગાળામાં કદાચ તે સમયે જે તર્કથી પરીક્ષા દાખલ કરેલ હોય તે તર્ક પછીના  આજના તર્ક વચ્ચેના સમયગાળામાં કોઈ દુષણ ઘર કરી ગયું હોય. મારો પહેલો પ્રશ્નએ છે કે “ બાળકોની વાત છોડો,જો પ્રાથમિક કક્ષાએ પરીક્ષા ન હોય તો શિક્ષકશ્રીએ તે બાળકને જે તે વર્ષ દરમ્યાન કેટલું શિક્ષણ કે માર્ગદશન આપ્યું છે તે માટેનો માપદંડ કેવી રીતે મેળવી શકીશું??[શિક્ષકમિત્રએ પૂરેપૂરી ફરજ નિભાવી છે કે તે માટેનો માપદંડ] કદાચ જો તમે એમ કહો કે પરીક્ષા ભલે પણ પરિણામ બાળકોને જાણ ન કરવી!! તો પછી કોઈ કારણસર ૩૫% કરતા ઓછા માર્ક્સ એટલે કે કોઈ કારણસર કોઈ વિષયમાં વધુ પડતો નબળો દેખાવ કરનાર બાળકની શૈક્ષણિક સારવાર માટેનો સમય કયો??[ કારણ કે ધોરણ-૮ સુધી પરીક્ષા નહી તો નાપાસ પણ નહી]
Ø  હવે તમને કહીએ અમારો પરીક્ષા વિશેનો તર્ક
કદાચ બની શકે છે કે પહેલાના શિક્ષણશાસ્ત્રીઓએ જે નજરથી  શિક્ષણમાં પરીક્ષા દાખલ કરી હોય તે દ્રષ્ટિકોણ  ધીમે-ધીમે સમય જતા બદલાઈ ગયો હોય???
દા.તરીકે તમારો પોતાના બાળક તેણે આપેલ પરીક્ષાનું પરિણામ પત્રક લઈને તમારી પાસે આવે છે, તેના માર્ક્સ જોઈ તમારૂ વાક્ય શું હશે?? કે મારા બાળકે પરીક્ષામાં ૭૦% આવ્યા,એટલે કે મારો બાળક ફલાણા વિષયમાં ૭૦% આવડ્યું/શીખ્યો. હવે આ બાળકના ૭૦% સાચા ત્યારે જ કહેવાય જ્યારે તે બાળકને તેના વિષય શિક્ષકશ્રીએ જે તે વિષયનું ૧૦૦% માર્ગદર્શન આપ્યું હોય. પણ જો તે બાળકના તે વિષય શિક્ષકશ્રીએ તે વિષયનું ૭૦% જ માર્ગદર્શન આપ્યું હોય તો ??? તો ખરેખર તે બાળકના માર્ક્સ કેટલા ગણાય???
હા, ખરેખર પરીક્ષા બાળક માટે નથી હોતી, પરીક્ષા હોય છે તેને માર્ગદર્શન/શિક્ષણ આપવા માટે રોકેલ વેતનદાર વ્યવસાયકારો માટે! એટલે કે જે તે વિષય શિક્ષકો માટે.
 હવે વાત નંબર-૨ તમારો પોતાના બાળકે  તેણે આપેલ પરીક્ષાનું પરિણામ પત્રક લઈને તમારી પાસે આવે છે, તેના માર્ક્સ જોઈ તમારૂ વાક્ય શું હશે?? કે મારા બાળકને ફલાણા વિષયની પરીક્ષામાં ૭૦% આવ્યા,એટલે કે મારા બાળકને  ફલાણા વિષયમાં ૭૦% આવડ્યું/શીખ્યો,આપણે આપણા બાળકના પરિણામને આ નજરથી જોઈએ છીએહવે પરીક્ષા દાખલ કરનાર તે સમયના શિક્ષણશાસ્ત્રીઓ આ બાબતને કદાચ અગલ નજરથી જોતા હોય કે તમારા બાળકને જે તે વિષયમાં ૭૦% જ આવડ્યું છે તેમ નહી પણ  તે વિષયના શિક્ષકશ્રી તમારા બાળકને જે તે વિષયમાં ૭૦% જ શીખી શકાય તેવું વાતાવરણ સર્જી શક્યા છે. હવે તમે જ કહો આ પરિણામ પત્રક  કોનું કહેવાય ?? તમારા બાળકનું કે તેના વિષય શિક્ષકશ્રીનું?? પરીક્ષા કોની થઇ કહેવાય??
જો આમ જોઈએ તો પરીક્ષા બાળકોની નહી પણ તેના શિક્ષકોની હોય છે, અને જે તે શાળાના બાળકોના પરિણામ પરથી જે તે શાળાના શિક્ષકશ્રીઓએ ખરેખર પ્રમાણિકતા પૂર્વક કરેલ મહેનતનો અંદાજ લગાવી શકાય છે.

હવે તમે જાતે નિર્ણય કરો કે શું પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ જરૂરી છે???

જો “હા” તો પરિણામ બાદ હતાશા અનુભવનાર બાળકોનું શું? અને કદાચ પરીક્ષા બાદ જો પરિણામ બાળકોમાં જાહેર ન કરીએ તો જે તે વિષયમાં નાપાસ અથવા નબળા બાળકોનું શું?
અને
જો “ના” તો પછી શિક્ષકમિત્રોએ વર્ષ દરમ્યાન બાળકો પાછળ કેટલી મહેનત કરી છે ,તે  માપવા માટેનું અન્ય કોઈ માપદંડ તમારા ધ્યાનમાં છે?
*******************************************************************************************************

ï જરા,તમારી શાળામાં નિરીક્ષણ તો કરજો !!!!

દરરોજ આનંદિત અને હળવાશ ભર્યા રહેતા આપણી શાળાના વાતાવરણને પરીક્ષાઓના દિવસો પહેલા અને પરીક્ષાઓના સમય દરમ્યાન કોણ ગંભીર અને સ્ટ્રેસભર્યું બનાવી દે છે???


વાલીઓ....... બાળકો.... કે પછી.....શિક્ષકો 


[કોમેન્ટમાં ચોક્કસ લખજો]