September 19, 2010

પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી?

હાલમાં ગુજરાતના ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમનું પુન:ગઠન થઇ રહ્યું છે.

તેમાં એક  વધુ વિચારવા જેવો મુદ્દો છે...

પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી?

SSA ના શિક્ષણ સલાહકાર શુબીર શુક્લાએ ચર્ચાનો દોર સંભાળ્યો..જી.સી.ઈ.આર.ટી.ના નિયામક શ્રી ભાડ સાહેબ, અભ્યાસક્રમ કમીટીના સચિવ શ્રી ટી.એસ.જોશી સાહેબ, શ્રી હરેશભાઈ ચૌધરી અને જી.સી.ઈ.આર.ટી.ના રીસર્ચ એસોસીએટ્સ બધાએ સાથે મળી વિચાર કર્યો ..નિર્ણય લેવાનો તો હજુ બાકી જ છે...એટલે ઘરે આવી કેટલાક સંદર્ભો જોઈ ગયો તેમ મારી જે સમજ તો બની સાથે એક ઉપયોગી બાબત મળી તે વિનોબાજી ભાષાઓના શિક્ષણ વિષે શું માને છે? 

(અમદાવાદમાં ગાંધીઆશ્રમમાં આવેલી વિનોબાજીની કુટીર)


પૂજ્ય વિનોબાજી....

આપ પણ ભાષા અંગેની આ ચર્ચામાં જોડવા માગતા હો તો સાઈડમાં વિગતે અહી વાંચો ટેબ જુઓ..ક્લિક કરો અને આપના વિચારો જણાવો- આપણી આ નાનકડી ગોષ્ઠી ગુજરાતના ભાષા શિક્ષણને નવી દિશા આપી શકે!

September 06, 2010

Freedom- Gujarat to Global via Vanche Gujarat!

ખરેખર 15મી ઑગષ્ટ એ આપણા માટે ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવા માટેનો રાષ્ટ્રીય તહેવાર છે, આ દિવસ આપણા માટે  એ લોકોને યાદ કરવા માટેનો છે જેમણે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા માટે પોતાનું તન-મન-ધન ન્યોછાવર કરી દીધું હતું. તે સમયે આ લોકોને આજે  જેમ કોઇને ઇચ્છિત હોદ્દો મેળવ્યા પછી  જેટલો ગર્વ હોય છે  તેટલો ગર્વ તે સમયના લોકોમાં “ સ્વાતંત્ર્ય-સેનાની બનવાનો હતો,દેશ માટે ફૂલ નહી તો ફૂલની પાંખળી જેટલું પણ કરનાર પોતાને ભાગ્યશાળી માનતા હતા, ટુંકમાં કહું તો કીડીનું  કણ અને હાથીનું  મણ દેશ માટે ન્યોછાવર થતું.

                                              (ધ્વજવંદન)

 આ સ્વાતંત્ર્ય-દિને આમારા શાળા પરિવારે “ સ્વાતંત્ર્ય-સેનાની “ બનવાનું નક્કી કર્યુ,  તે માટે અમે દુનિયાને ગુલામ બનાવનાર “ગ્લૉબલ વૉર્મિંગ“અને સામાજિક વિકાસને ગુલામ બનાવનાર સમાજમાંની બદીઓ જેવી કે અસમજતા, અજ્ઞાનતા, અજાગૃતતા વગેરેને દૂર કરવા માટેના કાર્યક્રમ  “વાંચે ગુજરાત” માટે ભલે કીડીના કણ જેટલો તો કીડીના કણ જેટલો  પણ પરિણામલક્ષી  પ્રયત્ન શરૂ કર્યો છે.


અમારી શાળાએ “ સ્વાતંત્ર્ય દિન” નિમિત્તે શાળામાં પધારેલ ગ્રામજનો સમક્ષ  ધોરણ-4ના ગુજરાતીમાં આવતા એકમ  “વાડીમાં થયો ઝગડો”-   (જેની સ્ક્રીપ્ટ તમે   શાળાની સાઈટ પરથી મેળવી શકશો) નું નાટ્ય રૂપાંતર કરી બાળકો ધ્વારા રજૂ કર્યુ, ત્યારબાદ શાળા પરિવાર ધ્વારા  ગ્રામજનોને સમજાવ્યું કે ઉનાળામાં ખૂબ જ ઠંડક આપનાર લીમડો અને આંબો “ગ્લૉબલ વૉર્મિંગ” ના કારણે પોતાનો મિજાજ ગુમાવી દેશે તો? આ ગ્લૉબલ વૉર્મિંગ માટેનો એક જ ઉપાય છે... “વૃક્ષારોપણ”.  અમે 64મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે શાળામાં પધારેલ તમામ ગ્રામજનોને એક-એક રોપો આપ્યો સાથે-સાથે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દરેક રોપાને   “સ્વાતંત્ર્ય -સેનાની “ નું નામ આપ્યું , તેમજ તે રોપો અને ભવિષ્યમાં તેમાંથી થનાર વૃક્ષ તે જ નામે ઓળખાય તે માટેનો આગ્રહ રાખ્યો. આ નાનો એવો પ્રયત્ન હતો અમારો દુનિયાને   “ગ્લૉબલ વૉર્મિંગ” રૂપી ગુલામીમાંથી બચાવવાનો.  બીજો મુદ્દો હતો સમાજિક  વિકાસને ગુલામ બનાવનાર સમાજમાંની બદીઓ અસમજતા, અજ્ઞાનતા, અજાગૃતતા  વગેરેને દૂર કરવા માટેના કાર્યક્રમ “વાંચે ગુજરાત” નો. તે માટે અમે ગ્રામજનોને જે રોપાઓ  આપી તેનું નામકરણ કર્યુ તે “સ્વાતંત્ત્ર્ય-સેનાની “ વિષેનું પુસ્તક પણ તે ગ્રામજનને આપ્યું જેથી ફક્ત તે “સ્વાતંત્ર્ય-સેનાની “ ના નામનું વૃક્ષ જ નહી પણ તે “સ્વાતંત્ર્ય-સેનાની “ વિષેની જાણ પણ હોય !  સાથે-સાથે તેની વાંચન પ્રવૃત્તિઓનો પણ વિકાસ થાય તે તો ખરૂ જ !


              (અમે સોપડી લઇ જઈએ મુને તો નથી આવડતું પણ રતીયો વાંચી હંભળાવશે!-)


                                     (આવતીકાલનું નવા નદીસર)

તમે પણ આજના  આધુનિક અંગ્રેજ એવા “ગ્લૉબલ વૉર્મિંગ” ની ગુલામીમાંથી આ પૃથ્વીને છોડાવવા માટે આધુનિક  “સ્વાતંત્ર્ય-સેનાની” બની પ્રયત્ન કરશોને ?  અમને પણ  એમ જ થતું હતું કે મારા એક વૃક્ષ રોપવાથી શું ફરક પડવાનો છે? પણ જેમ એક-એક ટીપા વડે જેમ સરોવર ભરાય છે,એક-એક કાંકરા વડે પાળ બંધાય છે તેમ એક-એક વૃક્ષ વડે જ  જંગલ બને છે, એક નાના એવા સૈનિક [મંગલપાંડે] વડે થયેલ  સ્વાતંત્ર્ય-સંગ્રામની શરૂઆત  કદાપી સૂરજ ન આથમતો હોય તેવા બ્રીટીશ સામ્રાજ્યનો ભારત દેશમાંથી અસ્ત કરી નાખે છે, તો આશા રાખીએ કે  આપણો નાનો પ્રયત્ન પણ એક દિવસ ચોક્કસ રંગ લાવશે.
        

  •  જો વૃક્ષને ઉગવાની આશા છે તો આપણે પણ કેમ થોડો પ્રયત્ન ન કરીએ?