June 03, 2011

અને પંખી શિક્ષીત થયું........


વાર્તા છે, રવીન્દ્રનાથ ટાગોરની – અચાનક આ વેકેશન દરમિયાન નવા વર્ષે શું કરીશું તેવા માનસિક આયોજનમાં વચ્ચે ક્યાંક ઈન્ટરનેટ પર  વાંચેલી તે ટપકી. શબ્દશઃ તો નથી યાદ પણ  કૈક આમ હતું!
  



એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, આ પંખીનું શું કરીએ? એક મંત્રી કહે, મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.

રાજાએ પોતાના વિશ્વાસુ ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું!
પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો(!) વિચાર કર્યો અને શિક્ષણ નીતિ ઘડી કાઢી. શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે. અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે તેને શિક્ષણની નવી જ દિશા ખોલી આપી!
સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, શિક્ષણ તો જોરદાર ચાલે છે!તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે ! પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !
એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતા વેત તેમને કહ્યું કે આ એક-બે ચોપડીથી કઈ ના આવડે, વધુ દળદાર પુસ્તકો જોઈએ. રાતો રાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણો પુસ્તકોનો ઢગલો થઇ ગયો! લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા. વાહ! વાહ! શું શિક્ષણ છે ! ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય! તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.
હવે તો સૌ બોલી ઉઠ્યા કે હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.
એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે પંખીનું શિક્ષણ બરાબર નથી થતું ! રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને આ હું શું સાંભળું છું? કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ! ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો અરે! એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે. રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું. રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે વાત ના પૂછો ! કોઈ ગોખાવતું હોય, તો કોઈ ગવડાવતું હોય, તો કોઈ શીખવતું હોય નાચ ! તામ જામ – નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો ! વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો મહારાજ ! પંખીને મળ્યા? રાજા પંડિતજીને કહે અરે હા! એ તો યાદ જ ન આવ્યું. પંખીને જોવાનું તો રહી ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ. રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું. પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.
હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો !  બિચારૂ પંખી જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે જો પાંજરામાં પાંખો ફફડાવે તો કહે, આ ગેરશિસ્ત !  કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે આને એના ભવિષ્યની પડી જ નથી ! બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ! 
અંતે પંખી બિચારું પેટમાં સુકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને  તેનું “પંખીપણું મરી ગયું” ને ભાણેજે જાહેર કર્યું કે પંખી શિક્ષિત થયું!

12 comments:

Vala Pratik said...

આપની આ વાર્તા વાંચીને હું મુંજાઈ ગયો છું...

વાર્તાનો એકે એક અક્ષર સાચો છે. અને એ જ આપણી શિક્ષણ પદ્ધતિની વાસ્તવિક પરિસ્થિતિ છે.

હું એક શિક્ષક તરીકે એ પોપટને પાંજરામાંથી આઝાદ કરવા પ્રયત્ન કરતો રહીશ...

Rajendra Joshi said...

What a co-incidence....
Gaya Ravivare ek dawakhanana waiting roomma timepass karva me Lokmilap prakashit BALKONA RAVINDRANATH sampadak Mahendra Meghani muly 15/- vachyu tema Aa varta vanchi. 5 pagema Satire Adbhut rite raju thayo. Hu pan e pages ni xerox groupma share karvanu vicharto hato. Have aa rite e-share thati joi sher lohi chadyu!!

Rajendra Joshi said...

What a co-incidence....
Gaya Ravivare ek dawakhanana waiting roomma timepass karva me Lokmilap prakashit BALKONA RAVINDRANATH sampadak Mahendra Meghani muly 15/- vachyu tema Aa varta vanchi. 5 pagema Satire Adbhut rite raju thayo. Hu pan e pages ni xerox groupma share karvanu vicharto hato. Have aa rite e-share thati joi sher lohi chadyu!!

Dronacharya said...

Kal ni training no topic vicharto hato


Tya aa link mali

Aabhar.....

DISTRICT PEDAGOGY CO-ORDINATOR, ANAND said...

આ વાર્તા ધોરણ ૧૨ નાં હિન્દી પાઠ્યપુસ્તકના ૧૬ મા પાઠમાં તોતે કી શિક્ષા રૂપે સંપૂર્ણ વાંચી શકાશે. લેખક રવીન્દ્રનાથ ટાગોર

Unknown said...

SARI VAT CHHE HU MOKO MALASE TYARE BIJA SAMAX RAJU KARISH..THANK YOU.

Unknown said...

SARI VAT CHHE HU MOKO MALASE TYARE BIJA SAMAX RAJU KARISH..THANK YOU.

bhola devshibhai bhanabhai said...

sir,hu aapni navanadisar shala ni darek pravruti hoy te hu mara clustre na shikshko ne jovdavu shu ane ena vishe jaroor vat kariye chiye. sathe sathe tamara jeva shikshko na udaharan pan ghanu shikhvi jay che.
sir, tamara jevu gujarat no darek shikshak samjanpurvak nishtha thi prayatna kare to 100% sidhi male.

nikunjjadav said...

khulta vacation ni training ma kaheva mateni varta mali gai khub khub abhar rakeshbhai

nikunjjadav said...

khulta vacation ni training ma kaheva mateni varta mali gai khub khub abhar rakeshbhai

Unknown said...

good Story, hu bijaone 100% kahish,samjavish.

Amit Majithiya said...

Aavi koik system na bhag banya chhiye kyarek ne kyarek. dukh thay chhe. jyare balakne mukt mane bhanavani vaat krye tyare tne gnit ma bhul pdej kem pehla ganit shikh pchhi udje. vadhare mahatv nu shu chhe ena mate ganit k udvu.