July 19, 2016

ગુરુપૂર્ણિમાની સત્યાર્થ ઉજવણી ???


ગુરુપૂર્ણિમાની સત્યાર્થ ઉજવણી ???

 બાળકો ત્યારે ખૂબ જ અચરજ પામે છે, જયારે શિક્ષક તેઓને દૂરની વસ્તુ બાયનોકયુલર ધ્વારા ખૂબ જ નજીક  બતાવે છે. એ વાતમાં નવાઈ નથી કે બાળક શિક્ષકને સર્વોપરી ગણતો હોય છે, પોતાના વાલીનું કહ્યું ન કરનાર બાળક પોતાના શિક્ષકના કહેવાથી ન ગમતું કામ પણ  હોંશે-હોંશે કરી બતાવે છે. એ જ બતાવે છે કે આપણે જેમ આપણા આદર્શ[ગુરૂ]ની સામાન્ય સૂચનાને પણ જેમ હૂકમ માની અનુસરીએ છીએ, તેમ બાળક પણ આપણે કરેલી વાતને ગાળવા માટેની કોઈપણ જાતની ગરણી વિના મગજમાં ઉતારી દેતાં હોય છે. તે બાળકની મોટા થયા પછીની દરેક વિષય પરની માન્યતાઓ ઉપર તેના શિક્ષકનો પ્રભાવ રહેશે જ. આમ ભવિષ્યમાં તે પોતાના શિક્ષકના પ્રભાવ વાળો જ નાગરિક બનશે તે ચોક્કસ છે. આનાથી એક વાત તો સાબિત થાય છે કે ભવિષ્યનો સમાજ - વર્તમાનમાં કાર્યરત શિક્ષકોના પ્રભાવ વાળો જ નિર્માણ પામે છે.”  મિત્રો, બાળકો પણ સમાજનું અથવા તો એમ કહીએ કે પોતાની સાથે બનતી દરેક ઘટનાઓ/બાબતોને સમજવા માટે શિક્ષકરૂપી બાયનોકયુલરનો ઉપયોગ કરતો હોય છે, કારણ કે તેનું માનવું હોય છે કે મારા શિક્ષક જ દીર્ઘ દ્રષ્ટા અને સત્ય-દ્રષ્ટા છે.  આપણા સૌ પરનો બાળકનો આવો વિશ્વાસ અકારણ જ હોય છે. હવે આપણે આપણા કર્યો વડે જ સાબિત કરવું રહ્યું કે બાળકે આપણા પર મૂકેલ વિશ્વાસ તથા વર્તમાન સમાજે  “ ભવિષ્યના સુ-સમાજ નિર્માણ ” માટે આપણા ઉપર મુકેલ વિશ્વાસ - આ બંને [બાળકનો અને વર્તમાન સમાજનો] આપણા પરનો વિશ્વાસ એ અંધવિશ્વાસ નથી.  

4 comments:

Unknown said...

Very good thinking

Unknown said...

Superb 'Guru'
Hats off

Unknown said...

સાચી વાત છે બાળક શિક્ષકને જ આદર્શ
માનતો હોય છે

Hetankshi said...

Very nice thinking...