May 31, 2019

“આત્મવિશ્વાસ” è શિક્ષકમાં “હોવો” જોઈએ અને બાળકમાં “ટકવો” જોઈએ !


વર્ગખંડમાં સૌથી મહત્વની વાત

 “આત્મવિશ્વાસ” è શિક્ષકમાં “હોવો” જોઈએ અને બાળકમાં “ટકવો” જોઈએ !

મિત્રો, વેકેશન એ બાળકો માટે ભલે રેસ્ટિંગ ટાઇમ હશે પણ આપણા સૌ માટે ચિંતનની પળો છે. જે ઈતિહાસમાંથી શીખે છે તે જ ટકે છે. પરંતુ આ અડધું વાક્ય છે – પૂરું વાક્ય છે - “જે ઈતિહાસમાંથી શીખે છે અને વર્તમાનમાં તે શીખને અનુસરે છે તેનું જ ભવિષ્ય ઉજ્જવળ બને છે.” ચિંતા માણસને નુકશાન કરે છે, પણ ચિંતન વ્યક્તિને પ્રગતિ માટે તૈયાર કરે છે.
ગત વર્ષની પરીક્ષા સમય સુધી બાળકોના આપણા પોતાના વિષયમાં સારું પર્ફોમન્સ માટે અંત સુધી પ્રયત્નશીલ રહ્યા પછી પણ કેટલાંક બાળકોના પરિણામમાં આપણને નિરાશા હાથ લાગી હશે. તેઓનું પર્ફોમન્સ આપણને ચિંતા ઉપજાવનારું બન્યું હશે. એવું પણ લાગી આવ્યું હશે કે આપણને આપણા પરથી ભરોસો ઉઠી જાય ! અને જયારે વ્યક્તિને પોતાના ખુદના પરથી ભરોસો ઊઠી જાય ત્યારે એ જો સામાન્ય વ્યક્તિ હોય તો તે અન્યના વાંક શોધવા બેસે છે ! પરંતુ આપણે સમાજમાં અસામાન્ય વ્યક્તિ એટલે કે  શિક્ષક તરીકે હોઈએ તો આપણે આવા સમયે ચિંતન કરવું જ રહ્યું – કે તે બાળક માટે ક્યાં ક્ષતિ રહી ગઈ ?
મિત્રો વર્ગખંડ પ્રક્રિયા બે વ્યક્તિઓ વચ્ચે થતી હોય છે – બાળક અને શિક્ષક ! જો આવા સમયે આપણે ખરાબ પ્રદર્શન માટે બાળકને જવાબદાર ગણી લઈશું તો પછી ચિંતન માટેના તમામ દરવાજા બંધ થઇ જશે. સાથે સાથે બાળકનો આત્મવિશ્વાસ પણ ડગી જશે.  – અને જો હું તે બાળકને આ પદ્ધતિને બદલે નવી પદ્ધતિ વડે ટ્રીટમેન્ટ કરી હોત તો ? એ દિશામાં વિચારવાનું અને તે માટે અપડેટ થવાનું શરુ કરી દેશો તો આપણે આગામી વર્ષમાં બાળકો સાથે પુરા કોન્ફિડન્સ સાથે ઉપસ્થિત થઇ શકીશું .
એકવાત યાદ રાખવા જેવી છે કે આત્મવિશ્વાસથી કરેલ પ્રયત્ન જ સફળતા અપાવી શકે છે તે બાળકમાં જળવાઈ રહે અને આપણામાં વધારતાં રહીએ તેની જવાબદારી સમાજના માર્ગદર્શક એવા શિક્ષક તરીકે આપણી જ છે !



No comments: