April 01, 2016

ઉત્તમ અને આગોતરું આયોજન શું ન કરી શકે ????



ઉત્તમ અને આગોતરું આયોજન શું કરી શકે ????

                     ધુવ ભટ્ટની નવલકથા  ‘તિમિરપંથી’ માં તેઓ લખે છે કે – તમસના માર્ગેને  અજવાળનારા તિમિર પંથીઓ પણ ચોરીએ નીકળે તે પહેલાં - કેટલું, કેવું અને કેવી રીતે કામ કરવાનું છે, તે નક્કી કરે છે. તેમાંથી શું મળશે તે વાત કોઈ જ કરતું નથી !! ગણતરી મુજબ માલ ન પણ મળે !
                 આગોતરા આયોજનનું મહત્વ દર્શાવતી ધ્રુવ દાદાની આ વાત આપણા શૈક્ષણિક પોજેક્ટ અને શૈક્ષણિક પ્રવૃતિઓ માટે એટલી જ અસરકારક રીતે લાગુ પડે છે, જેટલી તિમિર પંથીઓ માટે !  દરેક પ્રોજેક્ટ/પ્રવૃત્તિ ના આયોજન માટે પૂરતો સમય ફાળવવો જરૂરી છે. આયોજન માટેનો સમય એ “ગોલ્ડન” પીરીયડ” છે ! આ સોનેરી સમયનો ઉપયોગ સુચારુ ઉપયોગ કરનાર  પોજેક્ટકર્તાને પરિણામ પણ સોનેરી મળી રહે છે, વર્ગખંડોમાંની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કે ઉજવણીઓ માટે કોઈ અલગ નિયમો નથી હોતા,  આ જ નિયમો લાગુ પડતાં હોય છે કે જેવું સુચારુ- આગોતરું આયોજન તેવું મહેનતનું પરિણામ અને કહીએ તો બાળકોમાં જે તે પ્રવૃત્તિનો આનંદ અને અસરકારકતા વધારો, અને કાનમાં કહું તો પૃથ્વીનો છેડો ઘર એમ આપણો છેલ્લામાં છેલ્લો ધ્યેય તો આ જ છે ને !!! કે--

- બાળક આનંદમય પણ હોય અને, શિક્ષણમય પણ હોય !!!


1 comment:

dave gitanjali said...

Ya.its true. As balako thaki j sixak Ni jyot prajvalit bane 6e. Ne potanu tej best karva mate kayam sixako e taiyar rahevu pade