January 26, 2014

“નાટક” - એક બિન-વૈકલ્પિક શૈક્ષણિક પદ્ધત્તિ


“નાટક” - એક બિન-વૈકલ્પિક શૈક્ષણિક પદ્ધત્તિ..
              પહેલાંના સમયની સામાજની શૈક્ષણિક સ્થિતિની વાત કરીએ તો ગણ્યાગાંઠ્યા લોકો જ અક્ષર જ્ઞાનથી પરિચિત હતા. લોકો ન તો લખવાનું જાણતા કે ન તો તેને ઉકેલવાનું [વાંચવાનું]. તે સમયમાં સમાજમાં સમાજમાં કોઈ વિષય/વસ્તુની જાગૃતતા માટે અથવા તો કહીએ લોકોને જે તે વિષયમાં માર્ગદર્શન આપવા માટે તે સમયના શિક્ષણવિદો રાજાઓને ભવાઈ/નાટક/કઠપૂતળી વગેરના માધ્યમોનો ઉપયોગ કરવાની સલાહ આપતા અને રાજાઓ આ બધાનો ઉપયોગ પણ કરતાં. વિચારો કે નિરક્ષર લોકોમાં પણ વિષયવસ્તુનું શિક્ષણ આપી શકતી આ અમુલ્ય પદ્ધત્તિ શાળાઓમાંથી [શિક્ષણ પદ્ધત્તિ કે તાલીમી મોડ્યુલમાંથી નહિ હો !!] અદ્રશ્ય થવા પાછળનું કારણ શું હોઈ શકે છે???  તેના માટેના ઘણા કારણોમાંના થોડા કારણો નીચે મુજબના પણ હોઈ શકે છે...  
·         નાટ્યકરણ પદ્ધત્તિમાં  તૈયારીઓ વધુ સમય માંગી લે છે, જ્યારે અભ્યાસક્રમ સમયગાળામાં પૂરો કરવાનો હોય છે.
                     -:   નાટક ધ્વારા આપણે જે શીખવાનું તે પણ આપણા અભ્યાસક્રમનો જ એક ભાગ છે, ઘણીવાર આપણી ફરિયાદ હોય કે આજે ચલાવેલા અભ્યાસના મહાવરા માટે તેઓ ઘરે ચોપડી લઇ બેસતાં જ નથી, વિચારો કે “બાળકો ગ્રામ-પંચાયતના કાર્યો યાદ રાખી શકતા જ નથી.” – પરંતુ તે જ બાળક ગ્રામપંચાયત વિશેના કોઈ નાટકમાં પોતાના ભાગરૂપે આવતા ડાયલોગમાં  ગ્રામપંચાયત શું કામ કરે છે ? તે સમજી-યાદ રાખી અન્યને પોતાની ભાષામાં જણાવતો જોવા મળે છે અને તેનું ફકતને-ફક્ત એક જ કારણ છે... નાટ્યકરણ પદ્ધત્તિની અસરકારકતા  
·         નાટ્યકરણ પદ્ધત્તિમાં  જરૂરી વસ્તુઓ [વેશભૂષા સહીત] જલ્દીથી ઉપલબ્ધ હોતી નથી.
                 -:  નાટકને ખુબજ-વધુ અસરકારક બનાવવા માટે ચોક્કસપણે તે માટેના સચોટ વેશભૂષાની જરૂર પડે છે, પરંતુ જો વેશભૂષાની અછત સાથેનું નાટક પણ કાંઈ ઓછું અસરકાર નથી હોતું. સાથે-સાથે જ્યારે શાળાકક્ષાએ નાટ્યકરણ પદ્ધત્તિનો આપણો ધ્યેય બાળકોના શિક્ષણનો છે ત્યારે અમે માનીએ છીએ કે વેશભૂષાનો વધુ આગ્રહ યોગ્ય નથી. કારણ કે ક્યારેક વેશભૂષા વિનાની પ્રેકટીસ અને રજૂઆત વેશભૂષા સાથેની- આમાં બાળકની ડાયલોગ ડીલવરી પર પણ થોડી અસર પડે છે અને સારું ન કરી શક્યાનો દોષનો ટોપલો બાળક પર ફેંકીએ છીએ. અરે! યાર વર્ગખંડ કે શાળા કક્ષાના નાટકમાં એક બાળકને દુપટ્ટાની ધોતી પહેરાવી ગાળામાં ધ્રુવનું કાર્ડ લટકાવશો તો તે ધ્રુવ અને એકલવ્યનું લગાવશો તો તે એકલવ્ય ઉપસી આવશે. [અનુભવના આધારે]
·         નાટ્યકરણ પદ્ધત્તિમાં  જરૂરી સ્ક્રિપ્ટ જે દરેક શિક્ષકની સ્કીલ ન  હોઈ શકે...
                 -: હા, શિક્ષકની આ એક મર્યાદા હોઈ શકે છે પણ જ્યારે આપણે શાળામાં ટીમવર્ક કરતાં હોઈએ ત્યારે શાળામાં જે સારી સ્ક્રીપ્ટ કરી શકતાં શિક્ષક તો મળી જ રહે, આમાં બાળકો પોતે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો શાળાકક્ષાએ જ્યારે આપણે રજૂઆત કરવાની છે ત્યારે અમે/માનીએ છીએ કે બાળકોના અનુરૂપ સ્ક્રિપ્ટીન્ગ માટે શિક્ષકથી સારો કોઈ લેખક નથી .
·         બાળકોના અભિનય કે ડાયલોગબાજીમાં પરફેકશન હોતું નથી.
                         -: આવી જો અપેક્ષા આપણે બાળકો પાસેથી રાખતાં હોઈએ તો આપણાથી મોટો કોઈ મૂર્ખ નથી. અરે! વિચારો કે આટલા મોડ્યુલો વાંચી, કેટલાંય નાટકો નિહાળી [ અને ભણતાં હતા ત્યારે ભજવી ] કેટલાંય ચલચિત્રો જોયા પછી પણ આજે આપણે કોઈ રોલ ભજવાનો થાય તો ??? મિત્રો સ્ક્રિપ્ટની બાબતમાં બાળક જો શિક્ષક પાસેથી પરફેકશનની અપેક્ષા નથી રાખતાં તો પછી આપણે શા માટે બાળકો પાસે આવો દૂરાગ્રહ રાખી શકીએ???
                     આપણે શાળાકક્ષાએ જ્યારે નાટકનું આયોજન કરીએ છીએ ત્યારે આપણો મુખ્ય ઉદેશ્ય શાળાના પટાંગણને કે પછી હોલને તાળીઓના ગળગળાટથી ભરી દેવાનો નહિ પરંતુ બાળકોમાં જે તે વિષય-વસ્તુની સમજ કેળવવાનો અને તેને જીવન ઉપયોગી બનાવવાનો જ છે. તે ધ્યાને રાખી આપણે જો આયોજન કરશું તો અમે માનીએ છીકે અભણોને પણ સમજાવતી આ અસરકારક પદ્ધત્તિ આપણું ઘણુંખરું કઠીન કામ સરળ કરી આપશે. ચાલો, જાણીએ માણીએ અને સમજીએ પણ ખરા..!!!


  










ક્લિક કરો અને જૂઓ ફોટોગ્રાફ  à- “ આપણા હકો- આપણી ફરજો

1 comment:

vkvora Atheist Rationalist said...

સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં કવિ નાટકકાર તરીકે ભવભૂતિનું સ્થાન કાલિદાસ પછી તરત જ આવે છે.ભવભૂતિના ત્રણ નાટકો એક અદ્વિતીય સાહિત્યિક ઘટનાના નમૂનારૂપ છે પણ ઉત્તરરામચરિત એની સર્વોત્કૃષ્ટ કૃતિ અને સંસ્કૃત સાહિત્યની એક અમૂલ્ય નિધિ છે.