March 09, 2011

આપણા મનોમંથન માટે-Wash your Ideas!!

· બાળકોમાં ચિરસ્થાયી શિક્ષણ આપતી,પરંતુ કોઈ કારણસર આપણી પ્રાથમિક શાળાઓની શિક્ષણ પદ્ધતિમાંથી અલિપ્ત થઇ રહેલી નાટક પદ્ધતિ” માટે કંઈક તો વિચાર કરીએ !!!!

નાટક: શાકભાજીનો રાજા કોણ?-નું એક દ્રશ્ય 
       થોડાક વર્ષો પહેલાની જો વાત કરીએ તો નાટક એ સમાજ જીવનનું એક અંગ ગણાતું હતું, ગામે-ગામ નાટક મંડળીઓ અને નાટકો ધ્વારા લોકોના મનોરંજન કરાતા,નાટકો ધ્વારા છોડાયેલ સંદેશ ખૂબ જ અસરકારક હોઈ સરકારશ્રીઓ પણ લોકજાગૃતિનું માધ્યમ તરીકે ગણા કાર્યક્રમોમાં નાટક મંડળીઓનો ઉપયોગ કરતી. નાટક ધ્વારા મેળવેલ શિક્ષણ એ અનુભવેલું શિક્ષણ ગણાય છે, તમે જો બાળપણમાં કદાચ જો નાટકમાં કોઈ રોલ ભજવ્યો હશે તો તે તમારા માનસપટ પર આજ દિન સુધી તાજું હશે, અરે!તમારા સાથીદારના ડાયલોગ પણ કદાચ તમને યાદ હશે. કારણ એક જ છે કે અનુભવેલું જિંદગીભર યાદ રહે છે. આપણા પ્રાથમિક શિક્ષણના ઘણા વિષયો અને તેમાંના એકમો એવા છે કે જેમાં નાટક પદ્ધતિ જ અસરકાર રીતે તે એકમ બાળકને શીખી શકે છે,પરંતુ આપણે તેવા એકમોને ચર્ચા કે વાર્તા પદ્ધતિ ધ્વારા પૂરો કરી કામ કર્યાનો સંતોષ માની લઈએ છીએ.અત્યારે  શિક્ષણમાં નાટક પદ્ધતિનો ઉપયોગ કેટલા ટકા થાય છે તે તમારે જાણવું હોય તો તમારી આજુબાજુની ૧૦ શાળાઓનું નિરીક્ષણ કરી ગુણ્યા દસ કરી ટકાવારી કરી જોજો !
ધોરણ-: ૩ "માણસ પરખાય વાણીથી " નું એક દ્રશ્ય .......
કોણ કહે છે કે પાથરણું ફક્ત બેસવાના જ કામમાં આવે છે? કેટલીકવાર તે પહેરવાના કામમાં પણ આવે છે..
ધોરણ-: ૫ "એકલવ્ય" નું એક દ્રશ્ય..


શું બાળકોને નાટક જોવું ગમતું હશે? નાટક ભજવવું ગમતું હશે? તમે ભજવેલ નાટક તમને યાદ છે ?
[ કોમેન્ટમાં લખો]

2 comments:

Guruji Of Gujarat said...

ha,balakone natak to boj game

Guruji Of Gujarat said...

ha, mepan natak ma bhag lidho to "dalatar vadi" natak ma.