“વસુધૈવકુટુંબકમ”
આપણે સૌ શાળામાં
આવતા બાળકોને જુદી જુદી રીતે આવકારતા.. કોઈકને હાથ મિલાવવો, કોઈકને ભેટવું, કોઈક વળી ગાલ પર ગુડ મોર્નિંગ કરે ! અચાનક એક વાયરસ ઉછળ્યો અને આપણા સૌની રીત બદલાઈ ગઈ.
નમસ્તે કરવાની ટેવ પડે એ પહેલા અચાનક બાળકોનું શાળામાં
આવવાનું બંધ થઈ ગયું. એના પછી ઘરે ઘરે–મહોલ્લામાં જઈ આજે આ વાંચજો, આ લખજો, કાલનું લખેલું બતાવો -વાંચી સંભળાવો.. એમ ચાલતું ત્યાં જ આપણા પર પણ શાળામાં જવાની મનાઈ થઈ ગઈ.

ઇન્ટરનેટના દ્વારે ઊભા હોઈએ તો વિશ્વના કોઈપણ ખૂણેથી મદદ મળી જ આવે– અને એવું જ થયું. નવા નદીસરથી ૫૦૦ કિમી દૂર શિક્ષકોની એક ટીમે અમારો સંપર્ક કર્યો– દરરોજ સવારેછ થી આઠ ધોરણના એક વિષયના કોઈપણ બે એકમ તૈયાર કરવા કહેવું અને રાત્રે ૮:૦૦ વાગ્યે તેની ઓનલાઈન કસોટી લેવી. કસોટી આપવી સરળ અને થોડા જ સમયમાં તેનું પરિણામ પણ આવી જાય. આનાથી બાળકોને રોજે રોજ વાંચવાનું એક બહાનું મળી ગયું.. નવાનદીસરના બાળકોએ ભાગ લીધો .. તેના કારણે જ ગામના યુવાનો સાથે ઝૂમ મિટિંગ કરવાનો વિચાર આવ્યો. સાથે જ માત્ર બાળકો જ શું કામ મોટા પણ જોડાઈ શકે એ માટે રામાયણ અને મહાભારત જેવા વિષયોની પણ ક્વિજ બનાવી. અને એમાંથી જ અર્થગ્રહણ માટે અને સામાન્ય ગણિતની ક્વિજ પણ તૈયાર થઈ.
આમ,
ઓનલાઈન ટેસ્ટ લેવાના એ આઇડિયા એ બીજા નવા રસ્તા ખોલી આપ્યા.
પાલિતાણા ની એ ટીમનો પરિચય આ મુજબ છે – અશરફભાઈ બાવળિયા, સંજયભાઇ વાઘેલા ( એ તો વળી ક્લાર્ક છે !) જીણાભાઈ ડાભી, રમેશભાઈકીકાણી, જીતુભાઈ ચુડાસમા, યાસ્મીનબેન શેખ, જયદીપભાઈ પ્રજાપતિ, હસમુખભાઇ ખાસિયા.. અને તેમણે આ કામમાં બળ આપ્યું હાર્દિકભાઈ (બી.આર.સી.કૉ.,પાલિતાણા) ત્યાંનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા ભાવનગર અને
બોટાદના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ ! – એમાંય સુરેશભાઇ તો ક્યાં એક જ જિલ્લાના ડી.પી.ઇ.ઑ. છે !
એમણે તો ફોન કરી છેક નવાનદીસર વિષે ય પૂછપરછ કરી.
આ ટીમે આશરે ૨૫૦૦૦જેટલા બાળકો માટે રોજ
કસોટી તૈયાર કરી અને નિયમિત તેના પરિણામ પણ જાહેર કર્યા. આપણી એસ.એમ.સી.ના શિક્ષણવિદ રવિને વળી વિચાર આવ્યો કે આ ટેસ્ટ હોય એ જ
દિવસે સવારે બાળકો પુસ્તક વાંચે પછી એમણે તેને અનુરૂપ વિડીયો અને અન્ય સાહિત્ય
મોકલીએ તો કેવું ? – અને એ તો નિયમ છે અમારી ટીમનો કે “જો બોલે વો દરવાજા ખોલે !” તેણે પણ રોજેરોજ વિડીયો શોધી ગૃપમાં મોકલવાનું શરૂ કર્યું – અને તે લિંક્સ પણ જેટલા ટેસ્ટ આપતા તે બધા વિદ્યાર્થીઓ સુધી
પહોંચતી કરી.
અહિયાં ઉદેશ્ય તેમણે
ભણાવી દેવાનો બિલકુલ હતો જ નહીં –રોજરોજ એક કારણ આપવું હતું –કૈક કરતાં રહેવાનું.. અને તેમાં જેણે ક્યારેય રૂબરૂ નથી મળ્યા એવા વ્યક્તિઓનો સાથ
ભળ્યો..
“વસુધૈવકુટુંબકમ” ની આપણી
વિચારધારા ટેકનોલજી વડે જીવંત થઈ ગઈ !
આપણે
હવે આ મુજબ અભ્યાસ કરાવતા અને બાળકોએ અભ્યાસ કરતાં શીખવું જ પડશે..
તમે તમારા અનુભવો અમારા
સુધી પહોંચાડશો તો આ જુદા સમયમાં જુદી રીતે વર્તવાનું આપણે સાથે શીખી શકીશું.
ટીમના માર્ગદર્શક અને પ્રોત્સાહકો
ઉદેશ્ય એ જ, સૌ સાથે મળી ગુજરાતની આવનાર પેઢીનું ઘડતર અને ચણતર કરીએ !
ટીમ કર્તાઓ
ફોટો પર ક્લિક કરી તેમને વધુ વિગતે જાણી શકશો. ![]() |
અશરફભાઈ બાવળિયા |
![]() |
જીણાભાઈ ડાભી |
![]() |
જીતુભાઈ ચુડાસમા |
![]() |
રમેશભાઈકીકાણી |
![]() |
સંજયભાઇ વાઘેલા |
ટીમના માર્ગદર્શક અને પ્રોત્સાહકો
![]() |
સુરેશભાઇ |
![]() |
હાર્દિકભાઈ |
No comments:
Post a Comment