September 05, 2017

5મી સપ્ટેમ્બર -શાળાને મળેલ પાંચ યાદગાર પળો !!


 શિક્ષક સમાજ માટે ગૌરવંતી 5મી સપ્ટેમ્બર – શાળા પરિવારને મળેલ પાંચ યાદગાર પળો !!
 શિક્ષક દિન એ શિક્ષક સમાજનો મોટામાં મોટો તહેવાર છે. આ દિવસે સમાજ આપણને શિક્ષક હોવાનું ગૌરવ અનુભવાવે છે. શિક્ષકનું સમાજમાં શું સ્થાન છે? દરેક વ્યવસાય સમાજમાં આગવું મહત્વ ધરાવતો  હોય છે, પણ સમાજના ભવિષ્યનું ઘડતર શિક્ષકના  હાથમાં છે માટે તેના સ્થાનનું મહત્વ વધારે હોય છે. માટે જ સામાજિક જીવનમાં બદલાવ માટેનો સ્વચ્છતાનો કાર્યક્રમો હોય કે પછી મતદાર જાગૃતિ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમો, શાળાને એટલા માટે જ જોડવામાં આવે છે કે વર્તમાન પેઢીમાં બાળકો ધ્વારા અસરકારક મેસેજ જાય અને સાથે સાથે ભવિષ્યની પેઢી એવા - આજના બાળકોમાં તે સ્વચ્છતા અને મતદાન માટેની જાગૃતિ અત્યારથી જ ટેવમાં પરિણમે. એક જમાનો હતો કે વ્યવસાયનું મહત્વ અને સ્થાન નક્કી હતા. વ્યવસાય વડે વ્યક્તિત્વ શોભતું. પરંતુ હવે સમાજની દ્રષ્ટિ બદલાઈ રહી છે. હવે વ્યક્તિ વડે વ્યવસાયનું ગૌરવ વધતું જોવા મળી રહ્યું છે. એટલે કે વ્યક્તિ પોતાની કાર્ય શક્તિ વડે અને પ્રમાણિકતા પૂર્વકના પ્રયત્નો વડે પોતાના હોદ્દાનું માન વધારી રહ્યા છે. શિક્ષક તરીકે  આપણું જેટલું સ્થાન મહત્વનું છે એટલું જ કાર્ય પણ મહત્વનું છે. માટે જ શિક્ષક તરીકે સોંપાયેલા કામને જયારે કોઈ વ્યક્તિ મહત્વ આપીને પૂરું પાડે છે ત્યારે જ સમાજ તેને એ શિક્ષક તરીકેની નજરે જોવે છે જેની આપણે અપેક્ષાઓ સેવીએ છીએ. આ વખતનો શિક્ષકદિન  શાળાએ શરુ કરેલ સફરથી અત્યાર સુધીના વર્ષોમાં યાદગાર રહેશે. સફરની શરૂઆત કોઇપણ પ્રકારના નિશ્ચિત વિઝન વિના ફક્ત એ વિચારથી શરુ થયો હતો કે શિક્ષક તરીકે જે કરવાનું છે તેમાં આપણા પ્રયત્નોમાં કોઈ કચાશ ન રહે [પરિણામની ચિંતા વિના ] અને બીજું જ્યાં હવે રોજના છ કલાક  ગાળવાના જ છે ત્યાંનું પર્યાવરણ અને ભાવાવરણ બાળક સહિત સૌને આકર્ષે તેવું તો હોવું જ જોઈએ. આવા “અનિશ્ચિત” વિઝનથી શરુ થયેલ પ્રયત્નો થી આજે “બાળક માટે થાય તેટલું જ નહી, પણ  જરૂરી હોય તે બધું જ કરી છૂટવું” અને શાળાના પર્યાવરણ માટે ફક્ત આકર્ષકતા અને ભાવાવરણ ની અગ્રીમતા ને બદલે બાળકો માટે શાળા પર્યાવરણ “બાળ-અભયારણ્ય”  નું નિર્માણ ! આ સફર દરમિયાન શાળા પરિવારે કેટલાય ચઢાવ ઉતાર અનુભવ્યા છે. તે બધા અનુભવોની કેડી એ જ “મસ્તી કી પાઠશાલા”ના નિર્માણ સુધી પહોંચાડવામાં  મદદ કરી.
               આ શિક્ષક દિને ગામડાના બાળકો માટેના પ્રયત્નોની રાષ્ટ્રના પ્રથમ નાગરિક એવા મહામહિમ રાષ્ટ્રપતિ ધ્વારા નોંધ લેવાય ત્યારે બાળકો માટે કાર્ય કરવાની તાકાતમાં જાણે ઉર્જાનો સંચાર થાય છે. રાજ્યના પ્રથમ નાગરિક એવા મહામહિમ રાજ્યપાલ દ્વારા શાળા પરિવારના સભ્યને સન્માનિત કરવામાં આવે છે ત્યારે જાણે શાળાના હાથ મજબૂતાઈ અનુભવે છે. પરંતુ શાળા પરિવારનું દ્રઢ માનવું છે કે સન્માનિત થવું નો મતલબ વધુ તાકાતથી કાર્ય ઉર્જાને પ્રગટાવવાનો છે. તે ઉર્જાનો ઉપયોગ સૌ બાળકોના ઉજળા ભવિષ્ય નિર્માણ અને તેના ધ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે થશે.
આ સિવાય પણ શાળાને આ શિક્ષકદિને બીજા ત્રણ એમ કુલ પાંચ ઉર્જા સ્ત્રોતો મળ્યા ચાલો જોઈએ કયા કયા ???    

u શાળાના બાળકોને જ્ઞાનકુંજ કાર્યક્રમ અંતર્ગત મળેલ સ્માર્ટક્લાસની ભેટ 






*******************************
v શાળાની નોંધ લેતું સમાચારપત્ર “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” 

*******************************
w રાજ્યપાલશ્રીના હસ્તે ગુજરાત રાજ્યનો “શ્રેષ્ઠ શિક્ષક” પારિતોષિક 



*******************************
x ઉપરાષ્ટ્રપતિશ્રીના હસ્તે National ICT Aword-2016
















*******************************
y આપણી શાળા રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાન તરીકે

5 comments:

જ્ઞાન કી પાઠશાલા બાકરોલ said...

Very nice nava nadisar teem

kmshah said...

Very very proud moments....hearty congratulations

Dr. Jignesh Jayantibhai Rathod said...

ખૂબ ખૂબ અભિનંદન...

HARSH said...

Team Work Is Dream Work NVNDSR

Shailesh said...

નવા નદીસર પ્રાથમિક શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન