Showing posts with label અધ્યયન નિષ્પત્તિ. Show all posts
Showing posts with label અધ્યયન નિષ્પત્તિ. Show all posts

September 05, 2024

“શિક્ષક” અનુભવ દિવસ !

“શિક્ષક” અનુભવ દિવસ !

શિક્ષણ વ્યવસ્થામાં શાળા એક એવી જગ્યા છે જ્યાં શિક્ષક ભણાવવા અને બાળકો ભણવા આવે છે. બંનેમાં કોમન જો કોઈ વાત હોય તો તે છે અધ્યયન નિષ્પત્તિ ! એટલે કે લર્નિંગ આઉટકમ.  

આ પ્રક્રિયા શા માટે કરવી તેની જાણ અધ્યયન નિષ્પત્તિ આધારે નક્કી થતી હોય છે. તેવી જ રીતે બાળકે પોતે આ શા માટે શીખવું જોઈએ - એટલે કે આ શીખવાથી શું કરી શકશે…. તે પણ બાળક પોતે જે તે લર્નિંગ આઉટકમને આધારે જાણી શકે છે. શિક્ષક વર્ગખંડમાં જે જે તે વિષયવસ્તુ શિખવવાની પ્રક્રિયા હાથ ધરે તે પહેલાં તે પોતે જે તે વિષયવસ્તુ ક્યા લર્નિંગ આઉટકમ માટે છે તેનાથી વાકેફ હોય તે ખૂબ ઉત્તમ સ્થિતિ છે. કારણ કે ક્યાં પહોંચવાનું છે તે લર્નિંગ આઉટકમ્સ છે. અને કેવી રીતે પહોંચશો તે માટે ટૂલ્સ તરીકે પુસ્તક તેમજ અન્ય સામગ્રી  છે. ટાર્ગેટની જાણ વગરના ટૂલ્સ કોઈ કામના નથી. માટે જ  લર્નિંગ આઉટકમ્સ સાથે કામ કરનાર શિક્ષક ઉત્તમ ગણાયો છે. 

          જ્યારેનાગરિક ઊઘડતરઅંતર્ગત ઑફિસની વ્યવસ્થા સંભાળતા ગ્રૂપની કામગીરીમાંશિક્ષકોની દૈનિક નોંધપોથી ચકાસવી” - એવું   વિધાન ઉમેરાયું.  અમારા સૌની દૈનિકમાં પાડેલ વિભાગમાં - શું ? [ મુદ્દો ] કેવી રીતે ? [ મુદ્દો ભણાવવાની અધ્યયન પ્રક્રિયા ] અને શા માટે ? [ લર્નિંગ આઉટકમ્સ એટલે કે તે શા માટે શીખવાનું ? ] વગેરે વિશે તેઓ ચર્ચા કરી સમજતા ગયા.

      પરંતુ જેમ જેમ આ કામગીરી સંભાળનાર ગ્રૂપ બદલાતાં ગયાં, સમય પસાર થતો ગયો એમ બાળકોનું વધુ ધ્યાન આયોજનની સાથે સાથે લર્નિંગ આઉટકમ્સ એટલે કે અધ્યયન નિષ્પત્તિ તરફ જતું ગયું ! પરિણામે પ્રક્રિયામાં જોડાયેલ બંને - શિખવનાર અને શીખનાર બંને ધ્યેયથી અવગત થયેલ છે. આવી સ્થિતિમાં પ્રક્રિયા સાચી દિશામાં થવાની પૂરી ગેરંટી હોય છે. તેનો શાળાને શિક્ષકદિને અનુભવ થયો ! 

દર વખતની જેમ આ વર્ષે પણ શિક્ષક બનવા લાઇન લાગતાં શાળા શિક્ષણસચિવો મુશ્કેલીમાં મુકાયા. હાબધાં જ બાળકોને તક મળે ન મળે, પણ વધુમાં વધુ બાળકોને અધ્યયન માટેના મુદ્દા મળે - તે મુખ્ય કામ હતું એટલે જ દરેકને પોતે ભણાવવાના મુદ્દાનું લર્નિંગ આઉટકમ્સ સાથેનું આયોજન શાળા પ્રમુખને સોંપવાનું અને તેને આધારે શિક્ષણસચિવ સાથે મળી નક્કી થશે. એના કારણે સચિવોએ રિજેક્ટ કરેલ કિંજલ જેવાં ઘણાંશિક્ષકોની આંખોમાં પાણી જોવા મળ્યું. પરંતુ આનંદ એ પણ હતો કે આ થયેલ સ્ક્રૂટીની જ સાબિતી આપે છે કે ઉત્તમ આયોજન એટલે શું શું ? કેવી રીતે ? અને શા માટે? તેઓ ખૂબ સારી રીતે જાણે છે. 

આનંદ સાથે ઉજવાયેલ આ દિવસના અંતે તે દિવસના શિક્ષકોના અનુભવો લીધા. અરે ! આ તો કશું સાંભળતા જ નથી ? હખણાં રેતાં જ નથી ? વારેવારે બહાર નીકળી જાય છે? આવા કેટલાય કંટાળા તેમને રજૂ કર્યા ! એમનો આ કંટાળો અમારામાં આનંદ પેદા કરનારો હતો કે ચાલો આ પીડાના પીડિત વર્ગખંડમાં હવે ફક્ત હું એટલે કે એક વ્યક્તિ નહીં, હવે બે ચાર થયા છીએ !  અંતે -  હા, પણમજા આવી!’   એવું કહેનારાં બધાં જ હતાં. અને આ મજા સાથે સાથે એમનું આયોજન જણાવતાં વિડિયોને પણ માણવાનું ભૂલતા નહીં હોં !



November 09, 2023

“જવાબવહીઓ” બોલે તો?

જવાબવહીઓ બોલે તો?

શાળાઓમાં પ્રથમ સત્રનો અંત ચાલી રહ્યો છે. સત્રના અંતે સત્રાંત કસોટીઓનું વાતાવરણ બની ગયું છે. સરસ વાત પરીક્ષા સમયે પહેલાંનાં વર્ષો જેવુ બાળકો માટેનું ડરામણું વાતાવરણ હવે મોટાભાગે ક્યાંય જોવા મળતું નથી

અગાઉના અંકો અથવા તો શાળાનો બ્લોગ વાંચશો તો ખ્યાલ આવશે કે અગાઉ પણ પરીક્ષા અંગેની ચર્ચામાં કહ્યું છે કે પરીક્ષા આપણું એજ્યુકેશનલ ઓડિટ છે. પરીક્ષા આમ તો શિક્ષણ વ્યવસ્થાનો સૌથી મોટો તહેવાર છે. એને માણવો કેવી રીતે તે દરેકની પોતાની રીતિ-નીતિ પર નિર્ભર છે.

શિક્ષણની પ્રક્રિયા ખેતી સાથે શબ્દશ: જોડાય છે. તેવી રીતે ખેડૂતનું  જીવન પણ શિક્ષકની જીવનશૈલી જેવું રહ્યું છે ! બંને એટલે કે ખેડૂત અને શિક્ષક માનવજાતને કુદરત તરફથી મળેલ સૌથી મોટી અમૂલ્ય ભેટ સાથે કામ કરવાનું હોય છે. માનવ સમાજ માટે બાળ એટલો મહત્ત્વનો છે, જેટલો પૃથ્વી પરના પર્યાવરણ માટે છોડ ! બીજી એક બંને સાથે થનારી પ્રક્રિયામાં પણ મોટું સામ્ય છે. વાવણીથી લઈને લણણી સુધીની પ્રક્રિયામાં દરેક સમયે ખેડૂત પોતાનું બેસ્ટ આપવા સતત પ્રયત્નશીલ હોય છે ! કારણ કે ખેડૂત પોતે પણ જાણે છે કે લણણીમાં સમૃદ્ધિ ત્યારે દેખાશે જ્યારે વાવણીથી શરૂ થઈને દરેક પ્રક્રિયામાં જરૂરિયાત મુજબની સારસંભાળ સાથેની મહેનત કરીશું. શિક્ષણ પ્રક્રિયામાં પણ બાબત ખૂબ અસરકારક બનતી હોય છે. બાળકોને શાળા સાથે જોડવાની પ્રક્રિયાને વાવણી સાથે સરખાવી પરીક્ષાના પરિણામ ને લણણી માનીએ તો તેની વચ્ચે આવતી દરેક પ્રક્રિયાઓ એટલી મહત્ત્વની જેટલું મહત્ત્વ ખેતીમાં ઉત્પાદનનું  અને શિક્ષણમાં મેળવેલ અધ્યયન નિષ્પત્તિનું હોય 

બીજું એક સામ્ય પણ છે કે ખેતીમાં છોડ ઉપર જેટલાં પરિબળ અસર કરતાં હોય છે, તેટલી સંખ્યામાં બાળક પર પણ અસરકર્તા હોય છે. એટલે બંનેમાં ચેલેન્જ વધુ જોવા મળે છે. એવામાં આપણે સૌએ પણ પેલા ખેડૂતની જેમ પ્રક્રિયામાં આપણું બેસ્ટ આપવા પ્રયત્ન કરવો રહ્યો. પરીક્ષા અંતે મળતું પરિણામ પણ આપણે બાળકમાં કેટલું પોષી શક્યા તે બતાવે છે. અલગ અલગ છોડની અલગ અલગ મુશ્કેલીઓ  અને તે મુજબના ભિન્ન ભિન્ન ઉપાયો આપણને સારું પરિણામ અપાવે છે. અને તે માટે દરેક બાળકને જાણવુંસમજવું અને તે દરેકને જરૂરિયાત મુજબનું પોષણ મળે તે મુજબ કરવું શિક્ષણકાર્ય પદ્ધતિ છે ! અને બાળમાવજત પદ્ધતિ પણ !

થ્રી ઈડિયટમાં જ્યારે રેન્ચોને પ્રોફેસર પૂછે છે કે अब तू मुझे इंजिनीयरिंग सीखाएगा ?  ત્યારે રેન્ચોનો જવાબ હોય છેनहीं ! वो तो आप हमसे भी ज्यादा जानते हैं , मैं तो ये बता रहा हूँ कि पढ़ाते कैसे हैं !   એક ડાયલોગ શિક્ષણ જગત માટે ઘણું બધું કહી જાય છે. હાલ ચાલતી પરીક્ષામાં આવનારાં પરિણામ પત્રકોમાં એક એક બાળકના ગુણ જોતાં જઈશું ત્યારે બાળકોની જવાબવહીઓ સૌને બૂમો પાડી પાડીને કહેતી હશે કે..  – અઢળક માહિતી અને જ્ઞાનથી તમે ભલે ભરેલાં હશો  “ मगर पढ़ाते कैसे हैं ? હું તમને સમજાવું છું !   > ચાલો ક્લિક કરી શાળા બ્લોગ પર પરીક્ષા અંગેની ચર્ચાને વાંચીએ >  પરીક્ષા ??