July 01, 2014

સ્વરાજ્યથી સુરાજ્ય.....



સ્વરાજ્યથી સુરાજ્ય.....
        ભારતની એક સવાર એવી હોય - જ્યાં દરેક નાગરિકને પોતાના હક અને ફરજોનું જ્ઞાન છે. ઘડાતા કાયદાઓને પાલન કરવામાં સરકારીતંત્ર કરતાં નાગરિકો વધુ પ્રતિબદ્ધ હોય જાહેર સ્થળોની જાળવણીની જવાબદારીઓ સહિયારી હોય. એકબીજાને મદદ કરવામાં દરેકને ખુશી પ્રાપ્ત થતી હોય. જેની કલ્પના આઝાદીના લડવૈયાઓએ કરી હતી એવું ભારત આપણી નજર સામે હોય.
-: ઉપરના ફકરામાં “હોય” શબ્દ વાંચતાં જ થાય છે કે ‘હા! આવું હોવું જોઈએ! પણ હોય કેવી રીતે???”
                          રાષ્ટ્રનું ભાવી તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આપણા આપણા સુરાજ્યના સપનાં સાકાર થઇ શકે છે. આપણી શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને એમને જે તે ઉંમરે પ્રાપ્ત હકોની જાગૃતતા હોય અને જે હક ન મળતાં હોય તો તેને લોકશાહી ઢબે મેળવવાની ટેવ હોય. [ જો આવું થાય તો બસને સળગાવી પેટ્રોલ વધારાનો વિરોધ કરવાના વિચારો અટકી જાય] પોતાના હક એ કોઈની ફરજ બજાવવાથી પ્રાપ્ત છે, એમ જ પોતાની જવાબદારી છે કે પોતે ફરજ બજાવી બીજાના  હકોનું પણ રક્ષણ કરે.
                      આપણા સ્વરાજ્યને સુરાજ્યમાં પલટવા શાળામાં “નાગરિક ઘડતર’ નામની એક પ્રવૃત્તિ ચાલે છે. સમયાંતરે પ્રવૃત્તિ એનું “પ્રવૃત્તિ” તરીકેનું સ્વરૂપ ગુમાવીને શાળાનો પ્રાણ બની ચુકી છે. શાળામાં ભણતો દરેક વિદ્યાર્થી શાળાને પોતાનું BEST આપવાનો પ્રયત્ન કરે છે. પોતાને યોગ્ય લાગે તો પોતાની ભાષામાં યોગ્ય ઢબે અવાજ ઉઠાવે છે. ખાસ તો એ પોતાને સમગ્ર શાળા સંચાલનનો મહત્વનો હિસ્સો સમજે છે. અમારી શાળા વ્યવસ્થાપન સમિતિ જાણે કે શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોથી બનેલી છે.“નાગરિક ઘડતર” ની આ પ્રવૃત્તિને કાગળ પર ઉતારવી એ જરા મુશ્કેલ છે,પણ નીચેની લીંકો તેની રચના અને સંચાલનનો સચોટપણે ખ્યાલ જરૂરથી આપશે.
¹è -:  part-1   part-2   part-3      part-4     part-5   part-6  patr-7    patr-8
અમારા નાગરિક ઘડતરનું સ્વરૂપ એ કોઈ સ્થિર-જડતા ભર્યું નિર્જીવ નથી, માટે એમાં યોગ્ય બદલાવ માટે આપના સૂચનો પણ આવકાર્ય છે. 

3 comments:

Rakesh Parmar said...

અમારા જેવા શિક્ષકો માટે આપ સૌ પ્રેરણા પૂરી પાડો છો.

Unknown said...

મસ્તી કી પાઠશાળા કી બાત હી નિરાલી હે સાહેબ
માછી સમાજ જુનિધરી

Unknown said...

Inspyaring