June 27, 2010

આવો, બાળકોના ‘’સ્વાહા‘’ ને સમજીએ !!!


આવો, બાળકોના ‘’સ્વાહા‘’ ને સમજીએ !!!

               બાળકો સાથે કામ કરવું એટલે આનંદિત મુંઝવણોનો  અનુભવ કરવો, પણ મોટાભાગે બને છે એવું કે આપણી અથાગ મહેનત પછી પણ  આપણે આપણા  ધોરણના બધા બાળકોની ક્ષમતા સિધ્ધ કરી શકતા નથી અથવા તો એક બાળકમાં બધી ક્ષમતાઓ સિધ્ધ કરી શકતા નથી. તે માટે ઘણા બધા કારણો હોઇ શકે છે, તેમાંનું એક કારણ છે
“બાળકના સ્વભાવિક રસ રૂચિથી શિક્ષકનો  અપરિચય “
 તે માટેનું ઉદાહરણ આપું તો, હિન્દુ સંસ્ક્રુતિમાં યજ્ઞનું ખૂબ મહત્વ રહેલું છે. બ્રાહ્મણો ધ્વારા સારા-નવિન કામ પૂર્વે યજ્ઞ [હોમ-હવન] કરાવવામાં આવે છે. તેમાં બ્રાહ્મણ યજમાન [યજ્ઞ કરાવનાર ] ને યજ્ઞકુંડમાં આહૂતિ આપવા બેસાડે છે અને સાથે-સાથે યજમાનને સૂચના આપવામાં આવે છે કે જ્યારેસ્વાહાબોલવામાં આવે ત્યારે અને તરત આહૂતિ આપવી , કારણ કે એવી માન્યતા છે કે બ્રાહ્મણના  શ્લોક પઠન પછી જ્યારેસ્વાહાઉચ્ચારવામાં તે સમયે  યજ્ઞકુંડનું મુખધ્વાર ખુલે છે અને તે સમયે આપેલી આહૂતિ  યજ્ઞદેવ  સુધી પહોંચે છે.
                યજ્ઞદેવની જેમ આપણા બાળદેવોનું પણ  કંઇક આવું છે ! બાળકનું  જ્યારે રમતગમત રૂપી શ્લોક પઠન ચાલુ હોય ત્યારે આપણે શિક્ષણ રૂપી આહૂતિ આપવા બેઠા  હોઇએ, અને પછી તે સમયે ભણવામાં રસ દાખવનાર બાળક ઉપરરમતિયાળજેવાં ઘણા લેબલ લગાવી દઇએ છીએ, અને જ્યારે બાળક શિક્ષણ રૂપી આહૂતિ સ્વિકારવા તૈયારી બતાવે ત્યારે કદાચ આપણું શ્લોક પઠન ચાલતું હોય છે. કહેવાની વાત ફક્ત એટલી છે કે બાળકો તો નાના છે માટે આપણે તેમના અનુકૂલન મુજબ જ્યારે જ્યારે શિક્ષણ પ્રત્યેની રસ-રૂચિ હોય ત્યારે શિક્ષણ આપવું અથવા તો   શિક્ષણ પ્રત્યેની રસ-રૂચિ પેદા કરી શકે તેવી પ્રવ્રુત્તિ કરાવવી અને સાથે-સાથે જ્યારે બાળકના વર્તનમાં સ્વાહા દેખાય ત્યારે શિક્ષણ આપવું જોઇએ.... 
વાત એટલા માટે કે આપણે આપણા ઘણા શિક્ષક મિત્રો પાસેથી સાંભળીએ છીએ કે11 થી 5 નહી પણ આપણે બે કલાક ભણાવીએ છીએ પણ તે બે કલાક પૂરેપૂરા દિલથી ભણાવીએ છીએ.” ત્યારે મને પ્રશ્નએ થાય છે કે આપણા મિત્રને બે કલાક શિખવવા માટેનું જ્યારે શુરાતન ચડે તે સમયે  { શિક્ષક મિત્રના તે બે કલાક સિવાયના બાકીના કલાકોની જેમ} બાળકો  શિક્ષણકાર્ય કરવાના મૂડમાં પણ હોય !!! તો શું કરશો ?]